સબરીમાલા વિવાદ: 60 અરજી અંગે સુપ્રીમ કોર્ટની 9 જજની બેંચ કરશે સુનાવણી, કોર્ટે આપી આ તારીખ
સબરીમાલા વિવાદ અંગે દાખલ અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટ 13 જાન્યુઆરીના રોજ સુનાવણી કરશે. આ માટે નવ જજની એક ખંડપીઠ પણ બનાવવામાં આવી છે. મંગળવારના રોજ આ કેસને લઈને ચીફ જસ્ટિસ બોબડેની અધ્યક્ષતામાં ન્યાયધીશની પીઠનું ગઠન કરવામાં આવ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View […]
સબરીમાલા વિવાદ અંગે દાખલ અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટ 13 જાન્યુઆરીના રોજ સુનાવણી કરશે. આ માટે નવ જજની એક ખંડપીઠ પણ બનાવવામાં આવી છે. મંગળવારના રોજ આ કેસને લઈને ચીફ જસ્ટિસ બોબડેની અધ્યક્ષતામાં ન્યાયધીશની પીઠનું ગઠન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : IND vs SL: શ્રીલંકાએ ભારતને આપ્યો 143 રનનો ટાર્ગેટ, શાર્દુલે ઝડપી 3 વિકેટ
ક્યાં ક્યાં જજ કરાયા ખંડપીઠમાં સામેલ ન્યાયધીશ આર ભાનુમતિ, અશોક ભૂષણ, એલએન રાવ, એમએમ શાંતાગૌડર, એસએ નઝીર, આરએસ રેડ્ડી, બીઆર ગવઈ અને સૂર્યકાંત સામેલ છે. ઉલ્લેખનીય છે કે 2019માં સુપ્રીમ કોર્ટે 7 ન્યાયધીશની એક ખંડપીઠ બનાવી હતી. જો કે 13 ડિસેમ્બર, 2019ના રોજ કોર્ટે એવું કહ્યું કે આ મામલા માટે એક મોટી ખંડપીઠની રચના કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે સબરીમાલા વિવાદને લઈને અંદાજે 60 જેટલી અરજીઓ કોર્ટ સામે દાખલ કરવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આમ આ કેસની વધારે સુનાવણી 13 જાન્યુઆરી, 2020ના દિવસે થવા જઈ રહી છે. અદાલતની આ ખંડપીઠમાં ચીફ જસ્ટિસ પણ સામેલ છે. આ કેસને લઈને કોઈ હિંસા અમે ઈચ્છતા નથી એવી ટિપ્પણી પણ કોર્ટે કરી હતી. આ સિવાય કોર્ટે બે મહિલાઓને સુરક્ષા આપવા માટે પણ આદેશ કર્યો હતો. જેમાં બિંદુ અમ્મિની અને રેહના ફાતિમાનો સમાવેશ થાય છે. ધાર્મિક માન્યતા પ્રમાણે સબરીમાલા મંદિરમાં અમુક ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવામાં આવે છે અને તે મુદો કોર્ટ સુધી પહોંચ્યો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]