જાણો તમારા વિસ્તારમાં આવેલી કઈ ચેકપોસ્ટ થશે બંધ, શું થશે ફાયદો?
ગુજરાત સરકારે વાહન વ્યવહાર ખાતાના તાબામાં આવતી 16 જેટલી ચેકપોસ્ટને કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. 20 નવેમ્બરથી આ ચેકપોસ્ટ બંધ કરી થઈ જશે. વાહનોની જે પણ ભરવાપાત્ર રકમ હતી તેને ઓનલાઈન ભરવાની રહેશે. આમ ઓફલાઈન કામગીરી સદંતર બંધ કરી દેવાશે. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે […]
ગુજરાત સરકારે વાહન વ્યવહાર ખાતાના તાબામાં આવતી 16 જેટલી ચેકપોસ્ટને કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. 20 નવેમ્બરથી આ ચેકપોસ્ટ બંધ કરી થઈ જશે. વાહનોની જે પણ ભરવાપાત્ર રકમ હતી તેને ઓનલાઈન ભરવાની રહેશે. આમ ઓફલાઈન કામગીરી સદંતર બંધ કરી દેવાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : ધક્કા ખાવાની ઝંઝટમાંથી મુક્તિ, કાચા લાઈસન્સ માટે અહીંયા કરી શકશો અરજી
ઓનલાઈન માહિતી ભરતી વખતે વાહનની માહિતી ખોટી જાહેર કરવામાં આવશે તો બમણાં નાણાની વસૂલાત કરવામાં આવશે. ઓનલાઈન જે ફી ભરવામાં આવી છે તેને લઈને QR Code જનરેટ થશે અને તેની સાથે કોઈપણ પ્રકારની છેડછાડ થઈ શકે તેમ નથી. પ્રચાર-પ્રસારથી અન્ય રાજયના ટ્રાન્સપોર્ટ એસોસીએશન અને ટ્રક એસોસીએશનને જાગૃત કરવામાં આવેલ છે.
જાણો કઈ કઈ ચેકપોસ્ટ કરવામાં આવશે બંધ?
રાજ્યમાં હાલ અંબાજી, અમીરગઢ, ગુંદરી, થાવર, થરાદ, સામખીયાળી, જામનગર, શામળાજી, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર, સાગબારા, કપરાડા, ભિલાડ, સોનગઢ અને વઘઈ ખાતે ચેકપોસ્ટ કાર્યરત છે. જેને બંધ કરવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સરકારનું કહેવું કે આ ચેકપોસ્ટ નાબુદીના નિર્ણયથી આ નિર્ણયથી ગુજરાત રાજય અને દેશનો વાહન વ્યવહાર ઝડપી, કાર્યક્ષમ અને નફાલક્ષી, પારદર્શક બનશે. Ease of Doing Businessની દિશામાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ કદમ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]