RSSનો આવતીકાલથી 2 દિવસીય સમન્વય વર્ગનો થશે પ્રારંભ, સર કાર્યવાહ ભૈયાજી જોશી રહેશે ઉપસ્થિત

RSSનો 2 દિવસીય સમન્વય વર્ગ આવતીકાલથી અમદાવાદમાં શરૂ થશે. પ્રતિ 2 વર્ષે યોજાતા આ વર્ગમાં સંઘની 40 જેટલી ભગીની સંસ્થાના પ્રમુખ અને પદાધિકારીઓ હાજર રહેશે. સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી […]

RSSનો આવતીકાલથી 2 દિવસીય સમન્વય વર્ગનો થશે પ્રારંભ, સર કાર્યવાહ ભૈયાજી જોશી રહેશે ઉપસ્થિત
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 29, 2019 | 11:40 AM

RSSનો 2 દિવસીય સમન્વય વર્ગ આવતીકાલથી અમદાવાદમાં શરૂ થશે. પ્રતિ 2 વર્ષે યોજાતા આ વર્ગમાં સંઘની 40 જેટલી ભગીની સંસ્થાના પ્રમુખ અને પદાધિકારીઓ હાજર રહેશે. સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.

Image result for સમન્વય કાર્યક્રમ rss

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચોઃ વિદેશ પ્રવાસ પર ફ્લાઈટની વચ્ચે રોકાવા માટે હોટલ બુક નથી કરતા પણ આ જગ્યા પર રોકાય છે વડાપ્રધાન મોદી

ભાજપનું સૌથી મોટું પીઠબળ એટલે RSS અને એક રૂમમાંથી શરૂ થયેલી રાજકીય પાર્ટી ભાજપને દેશની સૌથી મોટી પાર્ટી બનાવવામાં તેમજ અનેક રાજ્યોના જીતના સિંહાસન પર બેસાડવામાં સંઘનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. અને એ જ કારણ છે કે, સંઘના તમામ કાર્યક્રમો, બેઠકમાં ભાજપના નક્કી કરાયેલા પદાધિકારીઓની અચૂક હાજરી હોય છે. ત્યારે આવતીકાલથી 2 દિવસ માટે અમદાવાદના જેતલપુર પાસે 2 દિવસીય સમન્વય વર્ગ યોજાવા જઈ રહ્યો છે. જેમા સંઘના સર કાર્યવાહ ભૈયાજી જોશી 2 દિવસ સુઘી ઉપસ્થિત રહેશે. અને કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જેમાં સીએમ વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તથા ભાજપ સંગઠન મહામંત્રી ભિખુભાઈ દલસાણીયા ઉપસ્થિત રહેશે. મહત્વનુ છે કે, દર 2 વર્ષે આ પ્રકારનો સમન્વય અભ્યાસ વર્ગ યોજાતો હોય છે. જેમાં કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરવામાં આવે છે. સંઘની 40થી વઘુ ભગિની સંસ્થાઓ છે. જેમાં કિસાન સંઘ હોય કે, શિક્ષણ સંઘ, મજૂર સંઘ કે સ્વદેશી જાગરચ મંચનો સમાવેશ થાય છે. આ તમામ સંસ્થાઓને સમન્વય વર્ગ દરમિયાન એક મંચ પર લાવવામાં આવે છે. સાથે જ સમાજના અલગ-અલગ વર્ગની વર્તમાન પરિસ્થિત સામાજિક તેમજ રાજકીય પરિસ્થિતિઓ મુદ્દે ચર્ચા કરવામાં આવે છે. સાથે તેનું સમાધાન શું હોઈ શકે તેનું પણ તારણ કાઢવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે, કેડરબેઝ કર્યકર્તાઓનું સૌથી મોટું સંગઠન એટલે RSS છે. સંઘ દ્વારા સતત સમાજની વચ્ચે રહીને સમાજની સમસ્યા તથા સમાધાન માટેના પ્રચાસ કરવામાં આવે છે. સમયાંતરે રાજકીય નેતૃત્વને પણ જરૂરી સૂચન કરાય છે. ત્યારે આ સમન્વય વર્ગમાં શું મંથન થશે અને શું નિષ્કર્ષ આવશે તેના પર સૌની નજર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">