ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વનડેમાં આ ખેલાડી રમી શકશે નહીં, જાણો કોને મળશે સ્થાન?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાયેલી ટી20 મેચમાં ભારતે જીત મેળવી છે. ભારતે ટી20 સીરીઝમાં ન્યૂઝીલેન્ડને એકપણ મેચ જીતવાનો મોકો આપ્યો નથી. કુલ પાંચ મેચમાંથી પાંચેય મેચ ભારતે જીતી લીધી. જો કે હજુપણ ન્યૂઝીલેન્ડમાં ભારતે વનડે અને ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ 2 સીરીઝ બાકી છે ત્યારે ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. Facebook […]
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાયેલી ટી20 મેચમાં ભારતે જીત મેળવી છે. ભારતે ટી20 સીરીઝમાં ન્યૂઝીલેન્ડને એકપણ મેચ જીતવાનો મોકો આપ્યો નથી. કુલ પાંચ મેચમાંથી પાંચેય મેચ ભારતે જીતી લીધી. જો કે હજુપણ ન્યૂઝીલેન્ડમાં ભારતે વનડે અને ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ 2 સીરીઝ બાકી છે ત્યારે ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે.
આ પણ વાંચો : VIDEO: LICનો એક ભાગ વેચવાના નિર્ણય સામે અમદાવાદમાં LICના કર્મચારીઓમાં રોષ
ભારતની ટીમમાં હિટમેન તરીકે જાણીતા ખેલાડી રોહિત શર્મા ટી-20 સીરીઝની અંતિમ મેચમાં ઈજાગ્રસ્ત થયા છે. જેના લીધે તેઓ મેદાન પર ઉતરી શકશે નહીં. રોહિત શર્મા ભારતની ટીમ માટે એક સન્માનજનક સ્કોર ઉભો કરવા માટે જાણીતા છે. તેઓ ઝડપથી રન લેવા ગયા હતા. આમ તેઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેઓએ 41 બોલમાં 60 રન બનાવ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
રોહિત શર્માની જગ્યાએ ક્યો ખેલાડી ઉતરશે મેદાનમાં? એવી જાણકારી મળી રહી છે કે રોહિત શર્માની જગ્યાએ ભારતીય ટીમમાં મયંક અગ્રવાલને સ્થાન આપવામાં આવશે. જો કે ટેસ્ટ સીરીઝ માટે લેટેસ્ટ જાહેરાત કરવામાં આવી નથી કે કોણ કોણ રમશે? બુધવારથી ભારત ફરીથી ન્યૂઝીલેન્ડની સામે 3 વનડે મેચની સીરીઝમાં ટકરાશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]