ખાલી મેદાનમાં ક્રિકેટ મેચ! સચિન બેટિંગ કરવા તો ઉતરશે પણ દર્શકો નહીં હોય
રોડ સેફ્ટી માટે એક વિશ્વ ક્રિકેટ સીરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્રાયન લારા અને સચિન તેંડુલકર જેવા મહાન ખેલાડીઓ ફરીથી મેદાન પર ઉતરશે. આ સીરીઝ પહેલાં પૂણેના ગાહુજે સ્ટેડિયમમાં યોજાવાની હતી ત્યારે આયોજકોએ હવે તેને મુંબઈના ડીવાઈ પાટીલ સ્ટેડિયમ ખાતે સ્થળાંતર કરી દીધી છે. આ નિર્ણય કોરોના વાઈરસના લીધે લેવામાં આવ્યો છે. Facebook પર […]
રોડ સેફ્ટી માટે એક વિશ્વ ક્રિકેટ સીરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્રાયન લારા અને સચિન તેંડુલકર જેવા મહાન ખેલાડીઓ ફરીથી મેદાન પર ઉતરશે. આ સીરીઝ પહેલાં પૂણેના ગાહુજે સ્ટેડિયમમાં યોજાવાની હતી ત્યારે આયોજકોએ હવે તેને મુંબઈના ડીવાઈ પાટીલ સ્ટેડિયમ ખાતે સ્થળાંતર કરી દીધી છે. આ નિર્ણય કોરોના વાઈરસના લીધે લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : અરવલ્લી : સાયરાની યુવતીના અપમૃત્યુ કેસમાં થયા મોટા ખૂલાસા, જુઓ VIDEO
શા માટે લેવાયો આવો નિર્ણય? રોડ સેફ્ટી વિશ્વ સીરીઝના આયોજકોએ જ સ્થળ બદલવાનો નિર્ણય લીધો છે. કોરોનાને કહેરના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત એવો પણ નિર્ણય લેવાયો છે કે આ મેચમાં દર્શકોને એન્ટ્રી જ નહીં મળે એટલે કે મેચ ખાલી સ્ટેડિયમમાં યોજાશે. આ ફેરફાર 13 માર્ચથી કરવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મહારાષ્ટ્રમાં પણ કોરોના વાઈરસના 10 કેસ નોંધાયા છે. જેના લીધે સરકારની એડવાઈઝરીનું પાલન કરવાનું મેચના આયોજકોએ નક્કી કર્યું છે. સરકારે એડવાઈઝરી જારી કરીને તમામ પ્રકારના મોટી મેળાવડાના કાર્યક્રમો રદ કરવા માટે કહ્યું છે. આમ સચિન અને બ્રાયન લારાને દર્શકો ટીવી પર જ નિહાળી શકશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]