બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરે આ જીવલેણ બિમારી સામે જીત્યો જંગ, હજુ 2 મહિના સુધી ચાલશે અમેરિકામાં સારવાર
ઋષિ કપૂરને લઈને ખબર આવી રહી હતી કે તેમને કેન્સરના ઈલાજ માટે અમેરિકા લઈ જવામાં આવી રહ્યાં છે ત્યારે તેમના ચાહકો નારાજ થઈ ગયા હતા અને હવે ખબર આવી રહી છે કે ઋષિ કપૂર સ્વસ્થ છે. 2018ના વર્ષમાં એક ખબર મળી કે ઈલાજ માટે જાણીતા અભિનેતા ઋષિ કપૂરને અમેરિકા લઈ જવામાં આવી રહ્યાં છે ત્યારે […]
ઋષિ કપૂરને લઈને ખબર આવી રહી હતી કે તેમને કેન્સરના ઈલાજ માટે અમેરિકા લઈ જવામાં આવી રહ્યાં છે ત્યારે તેમના ચાહકો નારાજ થઈ ગયા હતા અને હવે ખબર આવી રહી છે કે ઋષિ કપૂર સ્વસ્થ છે.
2018ના વર્ષમાં એક ખબર મળી કે ઈલાજ માટે જાણીતા અભિનેતા ઋષિ કપૂરને અમેરિકા લઈ જવામાં આવી રહ્યાં છે ત્યારે તેમના સમર્થકો નારાજ થઈ ગયા હતા અને બાદમાં રણવીર કપૂરે એક ઈન્ટરવ્યૂમાં ઋષિ કપૂરને કેન્સરની બિમારી હોવાની ખબર હોવાની વાતને ખોટી ગણાવી હતી. આ બધાની વચ્ચે ઋષિ કપૂરના સમર્થકો અવઢવમાં પડી ગયા હતા કે આખરે તેમના પ્રિય અભિનેતાને થયું શું છે?
આ પણ વાંચો:
આ બાદમાં ઋષિ કપૂરે પોતે જ ચાહકોની સામે ઈન્ટરવ્યૂમાં ખૂલાસો કર્યો કે તેમને કેન્સરની બિમારી હતી. વધુમાં તેમણે કેવી રીતે બિમારીનો સામનો કર્યો તેની પણ વાત કરી.
ઋષિ કપૂરે ઈન્ટરવ્યૂમાં કહ્યું કે 1લી મેના રોજ અમેરિકાની અંદર મારી સારવાર શરુ થઈ અને આ સારવાર 8 મહિના સુધી ચાલી. મારા પર ભગવાનની કૃપા છે કે હું હવે કેન્સર મુક્ત છું. આ બિમારીમાંથી બહાર આવવું તે મોટી વાત છે અને તેને લઈને હું મારા ચાહકો અને મારા પરીવારજનોનો આભાર માનું છું. તેમણે કહ્યું કે ભલે મારુ કેન્સર નથી રહ્યું પણ તેની સારવાર હજી ચાલું છે. જેમાં મને હજી 2 મહિના જેટલો સમય લાગશે. આ સારવાર બાદ તેઓ અમેરિકાથી પરત ભારત આવી જશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]