રિઝર્વ બેન્ક 9 ઑક્ટોબરે મૉનેટરી પૉલિસીની જાહેરાત કરશે
રિઝર્વ બેન્ક 9 ઑક્ટોબરે મોનેટરી પૉલિસીની જાહેરાત કરશે. સરકારે શશાંક ભિડે, અશિમા ગોયલ અને જયનાથ વર્માને RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)માં સોમવારે નૉમિનેટ કર્યા છે. RBIના નિયમો મુજબ સરકાર તરફથી નામિત આ સભ્યોનું કાર્યકાળ આવતા 4 વર્ષ સુધી રહેશે. રિઝર્વ બેન્ક દર બે મહીનામાં મોનેટરી પોલિસીની જાહેરાત કરે છે, પરંતુ આ વખતે સરકારની તરફથી નામિત […]
રિઝર્વ બેન્ક 9 ઑક્ટોબરે મોનેટરી પૉલિસીની જાહેરાત કરશે. સરકારે શશાંક ભિડે, અશિમા ગોયલ અને જયનાથ વર્માને RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)માં સોમવારે નૉમિનેટ કર્યા છે. RBIના નિયમો મુજબ સરકાર તરફથી નામિત આ સભ્યોનું કાર્યકાળ આવતા 4 વર્ષ સુધી રહેશે. રિઝર્વ બેન્ક દર બે મહીનામાં મોનેટરી પોલિસીની જાહેરાત કરે છે, પરંતુ આ વખતે સરકારની તરફથી નામિત સભ્યોનું કાર્યકાળ સમાપ્ત થવા ઉપરાંત નવા નામ 29 સપ્ટેમ્બર સુધી ન મળવાથી 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમ્યાન મળનારી બેઠક મુલતવી દેવાઈ હતી. બેઠક ન થવાથી RBIએ પોલિસી રિવ્યૂ ટાળવો પડ્યો હતો. પહેલા પોલિસી રિવ્યૂ માટે મોનેટરી પોલિસી કમિટીની બેઠક 29 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબરની વચ્ચે થવા વાળી હતી. બેઠક માટે ઓછામાં ઓછા 4 સભ્ય જરૂરી છે.
સરકારે હવે પોતાની તરફથી ત્રણ સભ્યોને નિયુક્ત કર્યા છે. પીએમ નરેન્દ્ર મોદીની મંજૂરી બાદ અપોઈન્ટમેન્ટ્સ કમિટી ઑફ ધ કેબિનેટે શશાંક ભિડે, અશિમા ગોયલ અને જયનાથ વર્માના નામો પર પોતાની મુહર લગાવી દીધી છે. અગાઉ RBI ગવર્નર એકલા જ પૉલિસી રેટ પર નિર્ણય કરતા હતા. પરંતુ 2016માં સરકારે ફેરફાર અમલમાં મૂકી 6 સભ્ય મૉનેટરી પૉલિસી કમિટી-MPCની રચના કરી હતી. છેલ્લા 5 વર્ષથી કમિટીના સભ્યો સંયુકત રીતે પોલિસી રેટ નક્કી કરે છે. આ કમિટીમાં 3 સભ્ય સરકારની તરફથી નક્કી કરવામાં આવે છે અને ત્રણ સભ્ય RBIના હોય છે. RBIના ગવર્નર MPCના હેડ હોય છે, જે ઈન્ડિપેન્ડેટ મેમ્બરની રીતે કામ કરે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો