રિલાયન્સ JIO વર્ષ 2021માં 5G ક્રાંતિ લાવશે: મુકેશ અંબાણી
રિલાયન્સ જિઓ 2021ના બીજા ભાગમાં 5જી સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. મુકેશ અંબાણીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના કાર્યક્રમને સંબોધતા આ જાહેરાત કરી હતી. અંબાણીએ માંગ કરી હતી કે આ માટે જો કે નીતિમાં પરિવર્તન અને પ્રક્રિયાને વેગ આપવાની જરૂર છે. સાથે જ્યાં સુધી તેને સરળ અને સસ્તી બનાવવામાં નહીં આવે ત્યાં સુધી તેની તમામ […]
રિલાયન્સ જિઓ 2021ના બીજા ભાગમાં 5જી સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. મુકેશ અંબાણીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના કાર્યક્રમને સંબોધતા આ જાહેરાત કરી હતી. અંબાણીએ માંગ કરી હતી કે આ માટે જો કે નીતિમાં પરિવર્તન અને પ્રક્રિયાને વેગ આપવાની જરૂર છે. સાથે જ્યાં સુધી તેને સરળ અને સસ્તી બનાવવામાં નહીં આવે ત્યાં સુધી તેની તમામ સુધી પહોંચ શક્ય નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અંબાણીએ કહ્યું કે 2021માં જિઓ ભારતમાં 5G ક્રાંતિ લાવશે. આખું નેટવર્ક સ્વદેશી હશે. આ સિવાય હાર્ડવેર અને ટેકનોલોજી પણ સ્વદેશી હશે. અમે જિઓ દ્વારા આત્મનિર્ભર ભારતનું સપનું પૂર્ણ કરીશું. મુકેશ અંબાણીએ સંબોધનમાં કહ્યું હતું કે ભારતે 5જી સ્પેક્ટ્રમ અંગે વહેલી તકે નિર્ણય લેવો જોઈએ, જિઓ 5G ક્રાંતિનું નેતૃત્વ કરશે. ભારત આગામી દિવસોમાં સેમી કંડક્ટરનું ઉત્પાદન કેન્દ્ર બની શકે છે. આપણે ફક્ત આયાત પર આધાર રાખવો જોઈએ નહીં.
દેશમાં હજુ પણ 30 કરોડ 2G ફોન યુઝર્સ છે. આ લોકો સુધી સ્માર્ટફોનની ઉપયોગીતા આવશ્યક છે અને આ માટે તેઓએ નીતિ હસ્તક્ષેપની જરૂરિયાત જણાવી હતી. અંબાણીએ કહ્યું કે અમે ડિજિટલ રીતે ખૂબ સારી રીતે જોડાયેલા છીએ, આમ છતાં 300 મિલિયન લોકો 2જી સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યાં છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો