રામદેવ બાબાએ જણાવ્યું કોંગ્રેસની હારનું એવુ કારણ કે વિચારમાં પડી ગઈ બધી જ રાજકીય પાર્ટીઓ, કહ્યું યોગ કરશો તો ચૂંટણી જીતશો!
યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું કે જવાહરલાલ નેહરૂ અને ઈન્દિરા ગાંધી છુપાઈને યોગ કરતા હતા પણ તેમના વારસોએ તેને સન્માન આપ્યુ નહી અને તેથી જ તે સત્તામાંથી દુર થઈ ગઈ છે, કારણ કે યોગ કરવાથી ભગવાન સીધા તમને તેમના આર્શીવાદ આપે છે. રામદેવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનુચ્છેદ 370 અને ત્રિપલ તલાક જેવા […]
યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું કે જવાહરલાલ નેહરૂ અને ઈન્દિરા ગાંધી છુપાઈને યોગ કરતા હતા પણ તેમના વારસોએ તેને સન્માન આપ્યુ નહી અને તેથી જ તે સત્તામાંથી દુર થઈ ગઈ છે, કારણ કે યોગ કરવાથી ભગવાન સીધા તમને તેમના આર્શીવાદ આપે છે.
રામદેવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનુચ્છેદ 370 અને ત્રિપલ તલાક જેવા મુદ્દા પર મોટા કામ કરવામાં આવશે. યોગગુરૂ 21 જૂને મહારાષ્ટ્રના નાંદેડમાં આતંરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં સામેલ થશે. તેમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફણડવીસ પણ ભાગ લેશે. યોગગુરૂએ કહ્યું કે મોદી એવા પહેલા વડાપ્રધાન છે જે લોકોની વચ્ચે જઈને યોગ કરે છે. ભાજપના બધા જ કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી, સાંસદ અને ધારાસભ્યો યોગ કરે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તેમને વધુમાં જણાવ્યું કે આ કારણથી તેમને ગૌરવ મળ્યુ છે. કોંગ્રેસમાં પહેલા ઈન્દિરા ગાંધી અને જવાહરલાલ નેહરૂ પણ યોગ કરતા હતા પણ તેમની પછી તેમના વારસોએ યોગને સન્માન આપ્યું નથી, તેઓ યોગ કરતા નથી, તેથી તેમના રાજયોગમાં પણ થોડી ગડબડ થઈ ગઈ છે.
આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે આવી શકે છે ખુબ સારા સમાચાર
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]