જાણો કેમ RBIના ગવર્નરે શક્તિકાન્ત દાસે આપી ડિઝિટલ પેમેન્ટ કરવાની સલાહ?
કોરોના વાઈરસના લીધે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. સરકાર સતત પ્રયત્નો કરી રહી છે લોકો જ્યાં છે ત્યાં જ રહે અને આ વાઈરસ સામેની જંગમાં જાહેર કરવામાં આવેલાં લોકડાઉનને સહયોગ આપે. જો કે લોકો પોતાના વતન તરફ પલાયન કરી રહ્યાં છે. હાઈવે અને બસ સ્ટેન્ડ પર મોટી ભીડ થઈ જવાથી લોકોને વતન પહોંચાડવા માટે સરકારના […]
કોરોના વાઈરસના લીધે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. સરકાર સતત પ્રયત્નો કરી રહી છે લોકો જ્યાં છે ત્યાં જ રહે અને આ વાઈરસ સામેની જંગમાં જાહેર કરવામાં આવેલાં લોકડાઉનને સહયોગ આપે. જો કે લોકો પોતાના વતન તરફ પલાયન કરી રહ્યાં છે. હાઈવે અને બસ સ્ટેન્ડ પર મોટી ભીડ થઈ જવાથી લોકોને વતન પહોંચાડવા માટે સરકારના બસ સેવા શરૂ કરવી પડી છે.
આ પણ વાંચો : કોરોના વાઈરસ : કોબા ગામના સરપંચે જે કામ કર્યું તેનાથી બધાએ પ્રેરણા લેવી જોઈએ!
આ બાજુ કોરોના વાઈરસ સંપર્કમાં આવ્યા બાદ ફેલાઈ છે. લોકડાઉનમાં પણ લોકો ખરીદી કરવા માટે બહાર જાય છે અને બાદમાં દુકાનદારને પૈસા પણ ચૂકવે છે. ભારતીય રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાન્ત દાસે એક વીડિયો પોસ્ટ કરીને માહિતી આપી છે કે દુકાનો પર જ્યાં આવશ્યક હોય ત્યાં જ રોકડ રકમથી લેણદેણ કરો. કોરોના સામે જંગમાં ડિઝિટલ પેમેન્ટથી પોતાની રકમ ચૂકવો જેથી સંપર્ક ઘટાડી શકાય. આ સિવાય ડિઝિટલ પેમેન્ટમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને મોબાઈલ એપનો ઉપયોગ કરવાની સલાહ આરબીઆઈ ગર્વનર શક્તિકાન્ત દાસે આપી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ચલણી નોટથી કેવી રીતે ફેલાય છે કોરોના? જ્યારે પણ લોકો ખરીદી કરવા માટે જાય છે ત્યારે દુકાનદારને ચલણી નોટ આપે છે. બાદમાં અમુક રકમ પાછી પણ લે છે અને પોતાના ઘરે આવે છે. આમ ચલણી નોટ સતત લોકોના હાથમાં આવતી જતી પસાર થતી રહી છે. જેના લીધે કોરોના વાઈરસ ફેલાવાનો ખતરો વધી જાય છે. જેથી રિઝર્વ બેંકના ગર્વનરે રોકડ રકમના બદલે ડિઝિટલ ટ્રાન્ઝેક્શન કરવા માટે સલાહ આપી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]