રાજ્યમાં સિંહોના અકાળે મોતનો મામલો, PILના અરજદાર અને વકીલ શું કહે છે સાંભળો વિડિયોમાં
ગુજરાત રાજ્યમાં સિંહોના અકાળે થતાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી એટલે કે પીઆઈએલ થઈ હતી. હાઈકોર્ટ સમક્ષ થયેલી આ અરજીમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જે મુજબ જમીન સંપાદીત કરવા સામે કોર્ટ મિત્રએ વાંધો રજૂ કર્યો છે. કોર્ટ મિત્રની રજૂઆત છે કે સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકાર જે રીતે પગલાં લે […]
ગુજરાત રાજ્યમાં સિંહોના અકાળે થતાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી એટલે કે પીઆઈએલ થઈ હતી. હાઈકોર્ટ સમક્ષ થયેલી આ અરજીમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જે મુજબ જમીન સંપાદીત કરવા સામે કોર્ટ મિત્રએ વાંધો રજૂ કર્યો છે. કોર્ટ મિત્રની રજૂઆત છે કે સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકાર જે રીતે પગલાં લે છે તે ગેરવ્યાજબી છે. અરજીમાં મુખ્યત્વે એ વાત પર પણ ભાર મુકવામાં આવ્યો છે કે ગીરના જંગલોમાં રેલ્વેલાઈન નાંખવાની વાત ચાલી રહી છે. જે સિંહોના મોતને વધારશે અને રેલ્વેલાઈન નખાશે તો સિંહોના અકાળે મોત અત્યારે જે થઈ રહ્યાં છે, તેની સંખ્યામાં વધારો થશે. સંભવીત રેલ્વેલાઈન માટે 150 હેક્ટર જગ્યા લેવાનું પ્લાનીંગ ચાલી રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં 310 એશિયાટીક સિંહોના અકાળે મૃત્યુ થયાં છે. 25 સિંહોની સાથે 121 દિપડાના પણ અકુદરતી મોત થયાં છે. ત્યારે કોર્ટ મિત્ર અને વકિલે પણ તેમનો મત કહ્યો હતો તે જાણો આ વિડિયોમાં
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: અમદાવાદ: સામાન્ય વાતમાં વસ્ત્રાલમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, 4 લોકો ઘાયલ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો