રાજ્યમાં નવરાત્રી અને દિવાળીને લઈને સરકારની ગાઈડલાઈન, મર્યાદિત સંખ્યામાં જ લોકો ભેગા થઈ શકશે
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજ્યમાં ગરબા નહી થઈ શકે તે મુદ્દે જાણકારી આપતા જણાવ્યું કે જ્યાં ગરબી થતી હોય ત્યાં 200 લોકોની મર્યાદિત હાજરીમાં પૂજા કરી શકાશે શેરી પોળ ફ્લેટમાં માતાજીની સ્થાપના પૂજા આરતી થઈ શકશે, એક જગ્યાએ 200 વ્યક્તિની મર્યાદા રાખવામાં આવી છે તો એક શહેરમાં 100 સોસાયટી હોય તો અલગ અલગ જગ્યા પૂજા કરી […]
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજ્યમાં ગરબા નહી થઈ શકે તે મુદ્દે જાણકારી આપતા જણાવ્યું કે જ્યાં ગરબી થતી હોય ત્યાં 200 લોકોની મર્યાદિત હાજરીમાં પૂજા કરી શકાશે શેરી પોળ ફ્લેટમાં માતાજીની સ્થાપના પૂજા આરતી થઈ શકશે, એક જગ્યાએ 200 વ્યક્તિની મર્યાદા રાખવામાં આવી છે તો એક શહેરમાં 100 સોસાયટી હોય તો અલગ અલગ જગ્યા પૂજા કરી શકાશે પરંતુ સંક્રમણ ના ફેલાય એના માટે 200 થી વધુ લોકો ઉપસ્થિત રહી શકશે નહીં. દિવાળીથી લાભ પાંચમની ઉજવણી પોતાની રીતે ઘરમાં દુકાન ફેક્ટરીમાં કરી શકાશે.નવા વર્ષે મંદિરમાં દર્શન ચાલુ રહેશે એક પરિસરમાં 200 થી વધુ વ્યક્તિઓ ઉપસ્થિત રહી શકશે નહીં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો