સૈન્યની ઝડપી હેરફેર માટે સરહદ પર 43 પુલ તૈયાર, રાજનાથસિહ આજે કરશે લોકાર્પણ
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન(BRO) માટે આજનો દિવસ વિશેષ રહેશે. આજે રક્ષા પ્રધાન રાજનાથસિંહ, સરહદ પર દુર્ગમ સ્થળોએ બનેલ 43 પુલનું લોકાર્પણ કરશે. BROએ બાંધેલા પૂલના કારણે, સરહદ પર સૈન્યને જવા માટેનો માર્ગ સરળ અને ટુંકો થયો છે. પૂલના લોકાર્પણ થયા બાદ માત્ર સૈન્ય જ નહી, પ્રવાસીઓ અને જે તે પ્રદેશના નાગરીકોને પણ સુવિધા મળશે. તો ગમે […]
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન(BRO) માટે આજનો દિવસ વિશેષ રહેશે. આજે રક્ષા પ્રધાન રાજનાથસિંહ, સરહદ પર દુર્ગમ સ્થળોએ બનેલ 43 પુલનું લોકાર્પણ કરશે. BROએ બાંધેલા પૂલના કારણે, સરહદ પર સૈન્યને જવા માટેનો માર્ગ સરળ અને ટુંકો થયો છે. પૂલના લોકાર્પણ થયા બાદ માત્ર સૈન્ય જ નહી, પ્રવાસીઓ અને જે તે પ્રદેશના નાગરીકોને પણ સુવિધા મળશે. તો ગમે તેવી સ્થિતિમાં સરહદ પર સૈન્ય જવાનો અને શસ્ત્ર સરંજામ ઝડપથી પહોચાડી શકાશે.
લદ્દાખ ખાતે લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ (LAC) ઉપર ચીન સાથે જૂન મહિનાથી તણાવ ચાલ્યો આવે છે. તેવા સમયે રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન(BRO) દ્વારા 7 અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં બાંધવામાં આવેલ 43 પૂલનું ઈ લોકાર્પણ કરશે. 43 પૂલમાંથી 10 પૂલ જમ્મુ અને કાશ્મિર રાજ્યમાં બનાવવામાં આવેલ છે. તો બીજી તરફ ભારે બરફને કારણે બંધ રહેતા મનાલી-રોહતાગ-લેહ હાઈવે પર બનેલ રોહતાગ ટનલનું આગામી 3 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન લોકાર્પણ કરશે.
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા બનાવેલા કુલ 43 પુલમાંથી 10 પૂલ પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલ જમ્મુ-કાશ્મિરમાં, 7 લદ્દાખમાં, 2 હિમાચલ પ્રદેશમાં, 04 પંજાબમાં, 8 ઉતરાખંડમાં, 8 અરુણાચલ પ્રદેશમાં અને 4 સિક્કીમ રાજ્યમાં બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃસ્કુલ ફિ 50 ટકા ઘટાડવાની માંગ સાથે NSUI કર્યા ચક્કાજામ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો