રાજકોટ પોલીસની ગોંડલમાં તરખાટ મચાવનાર નિખીલ દોંગા અને તેની ગેંગ સામે કાર્યવાહી, 10 સાગરિતો સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધ્યો, ગેંગ સામે 117 જેટલા ગુના નોંધાયેલા છે
ભુમાફિયાઓને નેસ્ત નાબૂદ કરવા રાજકોટ પોલીસે હવે ઉગામ્યું છે ગુજસીટોકનું હથિયાર. આ કાયદા હેઠળ રાજકોટ પોલીસે ગોંડલમાં તરખાટ મચાવનાર નિખીલ દોંગા અને તેની ગેંગ સામે કાર્યવાહી કરી છે અને ગેંગના 10 સાગરિતો સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે. મહત્વપૂર્ણ છે કે હાલ નિખીલ દોંગા અમદાવાદની સાબરમતી જેલમાં સજા કાપી રહ્યો છે. નિખીલ દોંગા એન્ડ […]
ભુમાફિયાઓને નેસ્ત નાબૂદ કરવા રાજકોટ પોલીસે હવે ઉગામ્યું છે ગુજસીટોકનું હથિયાર. આ કાયદા હેઠળ રાજકોટ પોલીસે ગોંડલમાં તરખાટ મચાવનાર નિખીલ દોંગા અને તેની ગેંગ સામે કાર્યવાહી કરી છે અને ગેંગના 10 સાગરિતો સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે. મહત્વપૂર્ણ છે કે હાલ નિખીલ દોંગા અમદાવાદની સાબરમતી જેલમાં સજા કાપી રહ્યો છે. નિખીલ દોંગા એન્ડ કંપનીના સભ્યો ગોંડલ આસપાસની મિલ્કતો પચાવી પાડવી, હત્યાની કોશિશ સહિત 117 જેટલા ગુનામાં સંડોવાયેલા છે. જ્યારે નીખિલ દોંગા સામે 2003થી અત્યાર સુધીમાં કુલ 14 કરતા વધુ ગુના નોંધાયેલા છે ત્યારે ભૂમાફિયા સહિત અસામાજીક તત્વો સામે રાજકોટ પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહીની શરૂઆત કરી છે અને સ્પષ્ટ કરી દીધું છે કે રાજકોટમાં ગૂંડારાજ હવે નહીં ચાલે ત્યારે કાયદાના કડક અમલ અંગે રેન્જ આઇ.જી સંદીપસિંઘે માહિતી આપી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો