રાજકોટના વોર્ડ નંબર-13નાં આંબેડકરનગરના રહીશો ગંદા પાણીથી પરેશાન, તંત્ર સામે રોષે ભરાયેલી મહિલાઓએ માટલા ફોડીને વિરોધ કર્યો
રાજકોટના વોર્ડ નંબર-13માં આવેલા આંબેડકરનગરના રહીશો ગંદા પાણીથી છે પરેશાન. આ વિસ્તારમાં પીવાનું પાણી એવું આવે છે જે પાણી આપણે કદાચ ઢોરને પણ ન પીવડાવતા હોય. સ્થાનિકોએ અનેકવાર તંત્રમાં રજૂઆત કરી. છતાં તેમની સમસ્યાનો કોઇ અંત નથી આવી રહ્યો તેથી મહિલાઓએ વોર્ડ ઓફિસમાં પોંહચીને માટલા ફોડીને વિરોધ નોંધાવવાનો વારો આવ્યો હતો. એટલું જ નહિં મહિલાઓએ […]
રાજકોટના વોર્ડ નંબર-13માં આવેલા આંબેડકરનગરના રહીશો ગંદા પાણીથી છે પરેશાન. આ વિસ્તારમાં પીવાનું પાણી એવું આવે છે જે પાણી આપણે કદાચ ઢોરને પણ ન પીવડાવતા હોય. સ્થાનિકોએ અનેકવાર તંત્રમાં રજૂઆત કરી. છતાં તેમની સમસ્યાનો કોઇ અંત નથી આવી રહ્યો તેથી મહિલાઓએ વોર્ડ ઓફિસમાં પોંહચીને માટલા ફોડીને વિરોધ નોંધાવવાનો વારો આવ્યો હતો. એટલું જ નહિં મહિલાઓએ ચીમકી પણ આપી છે કે, જો તેમની આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ ધરણાં પર બેસશે.