કોરોના કાળમાં થેલેસેમિયાના દર્દીઓ પરેશાન, રાજકોટમાં રક્ત માટે દર્દીઓની રઝળપાટ
કોરોના કાળમાં થેલેસેમિયાના દર્દીઓની સૌથી વધુ કફોડી સ્થિતિ થઈ છે. રાજકોટ શહેર અને જિલ્લાના મળીને 500થી 700 દર્દીઓ રક્ત માટે રીતસરની રઝળપાટ કરી રહ્યાં છે. થેલેસેમિયાના દર્દીઓને દર મહિને ફરજિયાત લોહી બદલવું પડે છે. પરંતુ કોરોના કાળમાં બ્લડ કેમ્પોનું આયોજન બંધ થયું. તો બીજી તરફ સિવિલમાં રક્તદાન કરતા જતા લોકો પણ ડરે છે. જેથી સિવિલમાં […]
કોરોના કાળમાં થેલેસેમિયાના દર્દીઓની સૌથી વધુ કફોડી સ્થિતિ થઈ છે. રાજકોટ શહેર અને જિલ્લાના મળીને 500થી 700 દર્દીઓ રક્ત માટે રીતસરની રઝળપાટ કરી રહ્યાં છે. થેલેસેમિયાના દર્દીઓને દર મહિને ફરજિયાત લોહી બદલવું પડે છે. પરંતુ કોરોના કાળમાં બ્લડ કેમ્પોનું આયોજન બંધ થયું. તો બીજી તરફ સિવિલમાં રક્તદાન કરતા જતા લોકો પણ ડરે છે. જેથી સિવિલમાં લોહીની ભારે અછત છે. એક દર્દીને લોહી ચડાવવા માટે અઠવાડિયાનું વેઈટિંગ છે. તેમાંય નેગેટિવ ગ્રૂપના દર્દીઓ સૌથી વધુ પરેશાન છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો