મોદી સરકારે આ સરકારી અધિકારીઓનો વધાર્યો પગાર, દર મહિને રૂ. 12,000થી 25,000ની વધશે કમાણી

નવા વર્ષે રેલવેના એક લાખથી વધુ લોકો પાયલટ, સહાયક લોકો પાયલટ અને ગાર્ડ (રનિંગ સ્ટાફ)ને વધેલા રનિંગ અલાઉન્સની ભેટ મળવા જઈ રહી છે.  રેલવે બોર્ડે દોઢ વર્ષની મહેનત બાદ રનિંગ સ્ટાફનું અલાઉન્સ બમણું કરી દીધું છે. તેનાથી ટ્રેન-માલગાડીઓના લોકો પાયલટ તેમજ ગાર્ડનો પગાર પ્રતિ માસ 12 હજારથી 25 હજાર રૂપિયા વધી જશે. જોકે આ નિર્ણયથી […]

મોદી સરકારે આ સરકારી અધિકારીઓનો વધાર્યો પગાર, દર મહિને રૂ. 12,000થી 25,000ની વધશે કમાણી
Follow Us:
| Updated on: Jan 18, 2019 | 9:07 AM

નવા વર્ષે રેલવેના એક લાખથી વધુ લોકો પાયલટ, સહાયક લોકો પાયલટ અને ગાર્ડ (રનિંગ સ્ટાફ)ને વધેલા રનિંગ અલાઉન્સની ભેટ મળવા જઈ રહી છે. 

રેલવે બોર્ડે દોઢ વર્ષની મહેનત બાદ રનિંગ સ્ટાફનું અલાઉન્સ બમણું કરી દીધું છે. તેનાથી ટ્રેન-માલગાડીઓના લોકો પાયલટ તેમજ ગાર્ડનો પગાર પ્રતિ માસ 12 હજારથી 25 હજાર રૂપિયા વધી જશે.

જોકે આ નિર્ણયથી પહેલેથી જ ખોટમાં ચાલી રહેલા રેલ વિભાગ પર નાણાકીય ભારણ વધશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

રેલ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે રેલવે બોર્ડે ડ્રાઈવર-હાર્ડનું રનિંગ અલાઉન્સ 255 રૂપિયા (પ્રતિ 100કિલોમીટર)થી વધારીને 525 રૂપિયા કરી દીધું છે. રેલવેની વિવિધ શ્રેણીના કર્મચારીઓને અલાઉન્સ જુલાઈ 2017માં આપવામાં આવ્યું હતું. પરંતુ રનિંગ સ્ટાફને લઈને રેલ યૂનિયન તેમજ રેલવે બોર્ડમાં ખેંચતાણ ચાલી રહી હતી. 2016માં અલાઉન્સ કમિટીની ભલામણ બાદ જૂન 2018માં રેલવે બોર્ડે રનિંગ અલાઉન્સને બમણું કરી દેવાનો આદેશ આપ્યો છે.

અધિકારીએ કહ્યું કે આ મહિને રેલવે બોર્ડના આ નિર્ણય પર નાણાં મંત્રાલયની મહોર લાગી જશે. ત્યારબાદ ડ્રાઈવર-ગાર્ડને વધેલા અલાઉન્સ મળવાનું શરૂ થઈ જશે.

તેમાં મેલ એક્સપ્રેસ, રાજધાની, શતાપ્દી, સુપર ફાસ્ટ ટ્રેન તેમજ માલગાડીના લોકો પાયલટ-ગાર્ડને દર 100 કિલોમીટર પર 525 રૂપિયા મળવાના શરૂ થઈ જશે. તેવી જ રીતે એક લોકો પાયલટ-ગાર્ડને પ્રતિ મહિના 12 હજારથી 25 હજાર રૂપિયા સુધીની વધુ કમાણી તશે.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે મુસાફરો ટ્રેન તેમજ માલગાડીના લોકો પાયલટ તેમજ ગાર્ડના રનિંગ અલાઉન્સમાં એક કે બે રૂપિયાનું અંતર હશે.

જાણકારોનું કહેવું છે કે આ નિર્ણયથી રેલવે પર વાર્ષિક 2400 કરોડથી વધુનો આર્થિક બોજો પડશે. જ્યારે કે રેલવે એપ્રિલ 2018થી સતત ખોટમાં ચાલી રહી છે. 100 રૂપિયાની આવક સામે રેલવે 117 રૂપિયા ખર્ચી રહી છે. એવામાં 2400 કરોડ રૂપિયાનો વધારાનો આર્થિક બોજ પડવાથી રેલવેનો ઓપરેટિંગ રેશિયો 2.5% જેટલો વધી જશે. પરંતુ ચૂંટણીનું વર્ષ હોવાથી સરકાર કર્મચારીઓની નારાજગી સહન કરી શકે તેમ નથી.

રૂ.1.40 લાખ સુધીનું વેતન

સૂત્રોનું કહેવું છે કે વરિષ્ઠ લોકો પાયલટ રનિંગ અલાઉન્સ સહિત દર મહિને 1.10 લાખતી 1.40 લાખ રૂપિયા સુધીનો પગાર મેળવે છે. જ્યારે કે શરૂઆતમાં સહાયક લોકો પાયલટ ઓછામાં ઓછું 30 હજારથી વધુ વેતન મેળવે છે. સહાયક લોકો પાયલટની શેક્ષણિક યોગ્યતા દસમું ધોરણ કે ITI માત્ર છે.

[yop_poll id=653]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">