રાહુલ ગાંધીના ‘ચૌકીદાર ચોર હૈ’ નિવેદન પર માફી રદ કરી એક્શન લેવાની સુપ્રીમ કોર્ટ પાસે કરાઈ માગ
રાહુલ ગાંધીના ‘ચૌકીદાર ચોર હૈ’ ના નિવેદન પર પુન:વિચાર અરજી સાથે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જે અંગેનો નિર્ણય સુપ્રીમ કોર્ટે પોતાની પાસે સુરક્ષિત રાખ્યો છે. મિનાક્ષી લેખીના વકીલ મુકુલ રોહતગીએ અપીલ કરી હતી કે રાહુલ ગાંધીએ બિન શરતી માફી માંગી છે જેને રદ કરી દેવામાં આવે અને તેમના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવે. […]
રાહુલ ગાંધીના ‘ચૌકીદાર ચોર હૈ’ ના નિવેદન પર પુન:વિચાર અરજી સાથે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જે અંગેનો નિર્ણય સુપ્રીમ કોર્ટે પોતાની પાસે સુરક્ષિત રાખ્યો છે.
મિનાક્ષી લેખીના વકીલ મુકુલ રોહતગીએ અપીલ કરી હતી કે રાહુલ ગાંધીએ બિન શરતી માફી માંગી છે જેને રદ કરી દેવામાં આવે અને તેમના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આ વિશે રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, અમે પહેલાથી જ આ વિશે દુ:ખ વ્યક્ત કર્યું છે.
રાહુલ ગાંધીએ ‘ચોકીદાર ચોર હૈ’ ના નારા સાથે સુપ્રીમ કોર્ટનું નામ પણ લીધુ હતું, જેથી મિનાક્ષી લેખીએ એક અરજી દાખલ કરી હતી. રાહુલ ગાંધીએ આ વિશે દુ:ખ વ્યક્ત કરી ચૂક્યા છે પરંતુ તે કૌંસ (બ્રેકેટ્સ) માં હોવાના કારણે સુપ્રીમ કોર્ટે તેને સ્વીકાર્યું ન હતું.
આમ, સુપ્રીમ કોર્ટે આ અંગેનો નિર્ણય તેની પાસે સુરક્ષિત રાખ્યો છે કે રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી બંધ કરવી કે નહિ? રાફેલ અને રાહુલ ગાંધીના અવમાનના કેસને લઈને હવે સુપ્રીમ આવનારા સમયમાં સુનાવણી કરશે. રાહુલના માફીનામાંથી ભાજપના નેતા ખુશ નથી તેના લીધે તેમની પર બિનશરતી માફીને રદ કરીને એક્શન લેવાની માગ કરવામાં આવી રહી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]