ડોક્ટરો અને આરોગ્યકર્મીઓ માટે મહત્વનો નિર્ણય, આરોગ્યકર્મીના ક્વોરન્ટાઇન સમયગાળાને રજા તરીકે નહી ગણાય
હવેથી ગુજરાતમાં કોરોનાની કામગીરી દરમિયાન ડોકટરો અને આરોગ્યકર્મીઓના ક્વોરન્ટીન સમયને ઓન ડ્યુટી ગણવામાં આવશે. કોરોના મહામારીની અસરોને પહોંચી વળવા અને તેને ફેલાતો અટકાવવા હાલ સ્વાસ્થ્ય કર્મીઓ જીવ જોખમમાં મુકીને દિવસ રાત કામ કરી રહ્યા છે. આ આરોગ્ય કર્મીઓને લઈ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. હવેથી ડૉક્ટર અને અન્ય આરોગ્ય કર્મીઓને ફરજ દરમિયાન ક્વોરન્ટીન […]
હવેથી ગુજરાતમાં કોરોનાની કામગીરી દરમિયાન ડોકટરો અને આરોગ્યકર્મીઓના ક્વોરન્ટીન સમયને ઓન ડ્યુટી ગણવામાં આવશે. કોરોના મહામારીની અસરોને પહોંચી વળવા અને તેને ફેલાતો અટકાવવા હાલ સ્વાસ્થ્ય કર્મીઓ જીવ જોખમમાં મુકીને દિવસ રાત કામ કરી રહ્યા છે. આ આરોગ્ય કર્મીઓને લઈ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. હવેથી ડૉક્ટર અને અન્ય આરોગ્ય કર્મીઓને ફરજ દરમિયાન ક્વોરન્ટીન કરવામાં આવે તો તે સમયગાળાને ઓન ડ્યુટી ગણવામાં આવશે. આ અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પરિપત્ર પણ બહાર પાડી દેવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો