BIG DECISION : પુલવામા આતંકી હુમલા બાદ ભારતનો પાકિસ્તાન પર પહેલો આર્થિક પ્રહાર, 23 વર્ષથી અપાયેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચ્યો

પુલવામા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન પર પહેલો વળતો પ્રહાર કરી દીધો છે. TV9 Gujarati   Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ? IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની […]

BIG DECISION : પુલવામા આતંકી હુમલા બાદ ભારતનો પાકિસ્તાન પર પહેલો આર્થિક પ્રહાર, 23 વર્ષથી અપાયેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2019 | 9:55 AM

પુલવામા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન પર પહેલો વળતો પ્રહાર કરી દીધો છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ કમિટી ઑન સિક્યુરિટી (CCS)ની બેઠકમાં પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલા ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો.

બેઠક બાદ નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું કે ભારત સરકારે પાકિસ્તાને અપાયેલો મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો પાછો ખેંચી લીધો છે. આ સાથે જ ભારત વિદેશ મંત્રાલય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાકિસ્તાનને અલગ-થલગ કરવા માટે તમામ સંભવિત પગલા ભરશે.

અરુણ જેટલીએ કહ્યું કે બેઠકમાં થયેલા તમામ નિર્ણયો બહાર જણાવાઈ નથી શકતાં. બેઠકમાં ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ અને જેટલી, સીઆરપીએફના ડીજી, રાષ્ટ્રીય સલામતી સલાહકાર (NSA) અજીત ડોવાલ, સેના પ્રમુખ બિપિન રાવત હાજર હતાં.

શું છે MFN ?

વિશ્વ વેપાર સંગઠન અને ઇંટરનેશનલ ટ્રેડ નિયમોના આધારે વેપારમાં સર્વાધિક મહત્વ ધરાવતા દેશને એમએફએનનો દરજ્જો આપવામાં આવે છે. એમએફએનનો દરજ્જો અપાતા દેશ આ વાતને લઈને આશ્વસ્ત રહે છે કે તેને વેપારમાં નુકસાન નહીં પહોંચાડવામાં આવે. ભારતે પાકિસ્તાનને 1996માં એમએફએનનો દરજ્જો આપ્યો હતો. એમએફએનના નિયમ મુજબ કોઈ પણ દેશ વિવિધ દેશો વચ્ચે વેપાર સંબંધી સમજૂતીઓમાં ભેદભાવ નથી કરી શકતો. જોકે પાકિસ્તાને ભારતને એમએફએનનો દરજ્જો નથી આપ્યે, પણ તેના સ્થાને ભારત સાથે Non-Discriminatory Market Access (NDMA) agreement સંધિ કરી છે. તેનું કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલા રાજકીય સંબંધો જણાવવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2.61 બિલિયન ડૉલરનો વેપાર થાય છે કે જેમાં સીમેંટ, શાકભાજી, ફળ, ખાંડ, મિનરલ, ફ્યુઅલ, મિનરલ ઑયલ તથા ઘણા પ્રકારની વસ્તુઓ સામેલ છે. જો પાકિસ્તાને પણ ભારતને એમએફએનનો દરજ્જો આપ્યો હોત, તો તેણે પણ ટ્રેંડ ટૅરિફ ઘટાડવા પડ્યા હોત.

[yop_poll id=1435]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">