મોદી સરકારની અર્ધલશ્કરી દળોના જવાનોને મોટી ભેટ, માસિક ભથ્થામાં કર્યો વધારો
પુલવામા હુમલા પછી કેન્દ્ર સરકારે અર્ધલશ્કરી દળોને એક મોટી ભેટ આપી છે. ગૃહ મંત્રાલયે CRPFના ઈન્સ્પેકટર અને વરિષ્ઠ અધિકારીઓને આપનારા રિસ્ક અને હાર્ડશીપ ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા અર્ધલશ્કરી દળોના જવાનોના ભથ્થાને 9700 રૂપિયાથી વધારીને 17300 રૂપિયા કરવામાં આવ્યું છે. જ્યારે અધિકારીઓને મળનારા માસિક ભથ્થામાં 16900 રૂપિયાથી વધારીને 25000 રૂપિયા કરવામાં આવ્યું […]
પુલવામા હુમલા પછી કેન્દ્ર સરકારે અર્ધલશ્કરી દળોને એક મોટી ભેટ આપી છે. ગૃહ મંત્રાલયે CRPFના ઈન્સ્પેકટર અને વરિષ્ઠ અધિકારીઓને આપનારા રિસ્ક અને હાર્ડશીપ ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે.
ગૃહ મંત્રાલય દ્વારા અર્ધલશ્કરી દળોના જવાનોના ભથ્થાને 9700 રૂપિયાથી વધારીને 17300 રૂપિયા કરવામાં આવ્યું છે. જ્યારે અધિકારીઓને મળનારા માસિક ભથ્થામાં 16900 રૂપિયાથી વધારીને 25000 રૂપિયા કરવામાં આવ્યું છે. તેનો લાભ જમ્મૂ કાશ્મીરના 11 અને નકસલવાદીના 8 જીલ્લામાં તૈનાત અર્ધલશ્કરી દળોના જવાનોને મળશે.
21 ફેબ્રુઆરીએ પુલવામા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આદેશ આપ્યો હતો કે જમ્મૂ કાશ્મીરમાં તૈનાત બધા જ સુરક્ષા દળોને હવે વિમાન દ્વારા મોકલવામાં આવશે. આ સુવિધા અસમ રાયફલ્સ ,BSF,CRPF,ITBP,અને NSG સહિત બધા જ જવાનોને મળશે.
આ પણ વાંચો : આ ગુજરાતી પ્રધાનના કારણે ઘર ખરીદવા પર લાગતો GST ઓછો થયો, મોદી સરકાર માટે બન્યા ‘સંકટ મોચક’
આ આદેશ અનુસાર કોઈ પણ જવાન ફરજ પરથી પાછો આવી રહ્યો હોય, તેનું ટ્રાન્સફર થયું હોય, તેવા બધા જ જવાનોને જમ્મૂ કાશ્મીર કેમ્પ કે નવી દિલ્હીથી શ્રીનગર વિમાન દ્વારા મોકલવામાં આવશે. તે સિવાય કોઈ જવાન શ્રીનગરથી પાછો આવી રહ્યો હોય તો તેમને પણ વિમાનની સુવિધા આપવામાં આવશે.
[yop_poll id=1769]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]