કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ અડધી રાત્રે ટ્વિટ કર્યો ‘ॐ ऐं ह्रीं क्लीं चामुंडाय विच्चै’ મંત્ર, યુઝર્સે કર્યા ટ્રોલ
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હાલમાં ઉત્તરપ્રદેશના પ્રવાસ પર છે. તે દરમિયાન તે સતત મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ભાજપ સરકાર પર નિશાનો સાધી રહ્યા છે. સોમવારે મોડી રાત્રે પ્રિયંકા ગાંધીએ તેમના ટ્વિટર હેન્ડલથી દુર્ગા સપ્તશતી પાઠનો એક મંત્ર ટ્વિટ કર્યો. પ્રિયંકા ગાંધીએ તેમના ટ્વિટમાં લખ્યું- ‘ऊं ऐं ह्रीं क्लीं चामुंडाय विच्चै.’ Web Stories View more આજનું […]
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હાલમાં ઉત્તરપ્રદેશના પ્રવાસ પર છે. તે દરમિયાન તે સતત મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ભાજપ સરકાર પર નિશાનો સાધી રહ્યા છે. સોમવારે મોડી રાત્રે પ્રિયંકા ગાંધીએ તેમના ટ્વિટર હેન્ડલથી દુર્ગા સપ્તશતી પાઠનો એક મંત્ર ટ્વિટ કર્યો. પ્રિયંકા ગાંધીએ તેમના ટ્વિટમાં લખ્યું- ‘ऊं ऐं ह्रीं क्लीं चामुंडाय विच्चै.’
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે પ્રિયંકા ગાંધીના આ ટ્વિટ પછી તે અટકળો ચાલી રહી છે કે તે શું કહેવા ઈચ્છે છે. ઉત્તરપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય કુમાર લલ્લુનું કહેવું છે કે પ્રિયંકા ગાંધીએ આ ટ્વિટ જાતે કર્યુ છે.
ॐ ऐँ ह्रीं क्लिं चामुँड़ायै विच्चै।।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 30, 2019
પ્રિયંકા ગાંધીના આ ટ્વિટ પર ટ્વિટર યુઝર્સ સતત તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અરવિંદ કુમાર નામના યુઝર્સે લખ્યું નાસમજ ને સમજવાની જરૂર નથી. સમજદારો માટે ઈશારો પુરતો હોય છે. જ્યારે એક યુઝર્સે તેમના ટ્વિટને નારી શક્તિનું પ્રતીક ગણાવ્યું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પ્રિયંકા ગાંધીએ આ ટ્વિટ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ભાજપ સરકાર પર નિશાન સાધ્યા પછી કર્યુ છે. સોમવારે પ્રિયંકા ગાંધીએ નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરનારા લોકોની વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]