વડાપ્રધાન મોદી આજે 3 લાખથી વધુ પાથરણાવાળાને સ્વનિધી યોજના હેઠળ લોન વિતરણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી સ્વનીધિ યોજનાના ઉતરપ્રદેશના લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કરશે. પાથરણા વાળા અને રસ્તા ઉપર બેસીને વેપાર કરનારા ગરિબો માટે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધી (પીએમ સ્વનિધી) યોજનાની શરૂઆત 1લી જુનના રોજ થઈ હતી. પરંતુ કોરોનાને કારણે યોજના પ્રભાવિત થઈ હતી. આ યોજના હેઠળ પાથરણાવાળાઓને 10 હજાર સુધીની વર્કિગ કેપિટલ […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી સ્વનીધિ યોજનાના ઉતરપ્રદેશના લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કરશે. પાથરણા વાળા અને રસ્તા ઉપર બેસીને વેપાર કરનારા ગરિબો માટે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધી (પીએમ સ્વનિધી) યોજનાની શરૂઆત 1લી જુનના રોજ થઈ હતી. પરંતુ કોરોનાને કારણે યોજના પ્રભાવિત થઈ હતી.
આ યોજના હેઠળ પાથરણાવાળાઓને 10 હજાર સુધીની વર્કિગ કેપિટલ લોન આપવામાં આવી રહી છે. આ યોજના હેઠળ 24 લાખથી વધુ અરજીઓ આવી છે. જેમાંથી 12 લાખ અરજદારોની અરજીને મંજૂરી આપવામાં આવી છે. જેમને આશરે 5.35 લાખની લોન આપવામાં આવશે. ઉતરપ્રદેશમાં 6 લાખ લોકોએ પીએમ સ્વનિધી યોજના હેઠળ અરજી કરી છે. જેમાંથી 3.27 લાખ અરજી મંજૂર કરી દેવાઈ છે.
આ પણ વાંચોઃ ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડીયાનું કોરોનાને કારણે નિધન
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો