ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા સાથે મુલાકાત કરશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે છે. તેઓ 13 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીના માતા હીરાબા સાથે મુલાકાત કરશે. રામનાથ કોવિંદ સવારે રાજભવનથી નીકળી PM મોદીના માતાને મળવા તેમના નિવાસસ્થાન જશે. ત્યારબાદ તેઓ કોબા સ્થિત જૈન મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. અહીં તેઓ આચાર્ય પદ્માસાગરસૂરીજી મહારાજના આશીર્વાદ મેળવશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે છે. તેઓ 13 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીના માતા હીરાબા સાથે મુલાકાત કરશે. રામનાથ કોવિંદ સવારે રાજભવનથી નીકળી PM મોદીના માતાને મળવા તેમના નિવાસસ્થાન જશે. ત્યારબાદ તેઓ કોબા સ્થિત જૈન મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. અહીં તેઓ આચાર્ય પદ્માસાગરસૂરીજી મહારાજના આશીર્વાદ મેળવશે.
આ પણ વાંચોઃ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું કે, કોર્ટ બહાર નિર્ણય કરવામાં આવશે નહીં
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જૈન મંદિરમાં આશરે એક કલાક સુધી રોકાણ કરશે. જૈન મંદિરમાં હાજરી આપ્યા બાદ રાષ્ટ્રપતિ કોવિંદ રાજભવન પહોંચશે. જ્યાં તેઓ કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા સહિતના મહાનુભાવો સાથે બેઠક યોજી શકે છે. બેઠક પૂર્ણ કર્યા રાષ્ટ્રપતિ બપોરે અમદાવાદ એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો