પ્રખ્યાત અને લોકપ્રિય મીઠાઈ રસગુલ્લાના ઈતિહાસની અજાણી અને રોચક વાતો
કોલકાતાની શેરીઓ હોય કે પુરીનું જગન્નાથ મંદિર રસગુલ્લા ભારતની સૌથી લોકપ્રિય મીઠાઈઓમાંની એક છે. બંગાળીઓ તેને પોતાનો વારસો માને છે, તો બીજી તરફ ઓરિસ્સાના લોકો રસગુલ્લાને તેની શોધ કહે છે. તો, ચાલો જાણીએ ભારતની પ્રખ્યાત મીઠાઈ રસગુલ્લાના ઈતિહાસની અજાણી અને રોચક વાતો. આ પણ વાંચો: રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના નવા ચેરમેનની નિમણૂંક, કોરોનાની ગાઇડલાઇનનું સરેઆમ […]
કોલકાતાની શેરીઓ હોય કે પુરીનું જગન્નાથ મંદિર રસગુલ્લા ભારતની સૌથી લોકપ્રિય મીઠાઈઓમાંની એક છે. બંગાળીઓ તેને પોતાનો વારસો માને છે, તો બીજી તરફ ઓરિસ્સાના લોકો રસગુલ્લાને તેની શોધ કહે છે. તો, ચાલો જાણીએ ભારતની પ્રખ્યાત મીઠાઈ રસગુલ્લાના ઈતિહાસની અજાણી અને રોચક વાતો.
આ પણ વાંચો: રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના નવા ચેરમેનની નિમણૂંક, કોરોનાની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
1. ઓરિસ્સાના લોકો માને છે કે મીઠી પુરી (રસગુલ્લા) નો જન્મ 700 વર્ષ પહેલા પુરીમાં થયો હતો.
2. કહેવાય છે કે ભગવાન જગન્નાથે તેમની પત્ની લક્ષ્મીને રથયાત્રામાં આગળ ન આવવા માટે આ મીઠાઇ ખવડાવી હતી.
3. 11 મી સદીમાં સફેદ રંગને લીધે આ મીઠાઈ ખીર મોહન તરીકે ઓળખાતી અને મહાલક્ષ્મીજીને તેનો ભોગ ધરવવામાં આવતો હતો.
4. કોલકાતાના સફેદ રસગુલ્લા કરતાં ઓરિસ્સાના રસગુલ્લા ભુરા રંગના હોય છે.
5. પશ્ચિમ બંગાળના લોકો રસગુલ્લાને પોતાનો વારસો માને છે ત્યારે ઓરિસ્સાના લોકો આ વાતને નકારે છે.
6. બંગાળીઓ કહે છે કે રસગુલ્લાની શોધ કોલકાતાના નબીનચંદ્ર દાસે વર્ષ-1868 માં કરી હતી.
7. નબીનચંદ્ર દાસે વિચાર્યું કે પરંપરાગત મીઠાઇના વેચાણથી દુકાન ચાલશે નહીં તેથી ઘણા પ્રયત્નો બાદ રસગુલ્લા બનાવ્યા.
8. શુભેચ્છકોએ કહ્યું કે તેઓ આ મીઠાઇની પદ્ધતિ પેટન્ટ કરાવી લે પરંતુ નબીનચંદ્રએ કહ્યું કે રસગુલ્લાની શોધ ત્યારે જ સફળ થશે જ્યારે તે દેશભરના લોકો સુધી પહોંચશે.
9. અન્ય એક માન્યતા મૂજબ રાણાઘાટના પાલ ચૌધરીયાના પ્રખ્યાત હલવાઈ હરાધન મોયરાએ રસગુલ્લાની શોધ કરી હતી.
10. વર્ષ-1930 માં રસગુલ્લાને ટીનના ડબ્બામાં પેક કરી કે.સી. દાસ દ્વારા આખા વિશ્વમાં તેની નિકાસ શરૂ કરવામાં આવી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો