મધ્યપ્રદેશની કમલનાથ સરકાર ફરી મુશ્કેલીમાં, ધારાસભ્યો-મંત્રીઓનો નથી થઈ રહ્યો સંપર્ક
મધ્યપ્રદેશની કમલનાથ સરકારની મુશ્કેલી ફરીથી વધી જવા પામી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સિંધિયાના સમર્થકોમાં અંદાજે 22 ધારાસભ્યો છે. જેમાં 5થી 6 ધારાસભ્યોનો સવારથી સંપર્ક સાધી શકાયો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ મોટો બદલાવ કરી શકે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories […]
મધ્યપ્રદેશની કમલનાથ સરકારની મુશ્કેલી ફરીથી વધી જવા પામી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સિંધિયાના સમર્થકોમાં અંદાજે 22 ધારાસભ્યો છે. જેમાં 5થી 6 ધારાસભ્યોનો સવારથી સંપર્ક સાધી શકાયો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ મોટો બદલાવ કરી શકે છે.
જો કે અમુક ધારાસભ્યો મીડિયા સમક્ષ નિવેદન આપી રહ્યાં છે કે તેમને સરકાર સાથે મળવા માટે સમય આપવામાં નથી આવી રહ્યો. જેના લીધે નારાજગી દાખવીને તેઓએ મોબાઈલ બંધ કર્યો હોવાનો ખૂલાસો કર્યો છે. મુખ્યમંત્રી કમલનાથ સરકારે જાણકારી આપતા કહ્યું કે ભાજપના 15 વર્ષનો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે. આથી તેઓ હેરાન થઈ રહ્યાં છે.
મધ્યપ્રદેશમાં કુલ 230 વિધાનસભાની સીટ છે. જેમાં 2 ધારાસભ્યોના નિધનથી હાલ સદસ્યોની સંખ્યા 228 છે. કોંગ્રેસની પાસે 114 ધારાસભ્યો છે. આ ઉપરાંત 4 અપક્ષ ધારાસભ્યો, 2 બસપા જેમાંથી એક પાર્ટીથી દૂર કરાયા છે. ભાજપની પાસે 107 ધારાસભ્યો છે. જો કોંગ્રેસના 10 ધારાસભ્યો પણ ભાજપમાં આવી જાય તો સત્તા બદલી જાય તેવી સ્થિતિ છે. આમ મધ્યપ્રદેશમાં સત્તાને લઈને સતત જંગ ચાલી રહી છે. આમ મધ્યપ્રદેશમાં સત્તા પર તલવાર લટકી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]