નિત્યાનંદ આશ્રમ વિવાદ: 2 સાધ્વીઓના 5 દિવસના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર
નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં બંને સંચાલિકાઓનાં રિમાન્ડ મંજૂર કરાયા છે. મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે બંને સંચાલિકાઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.. મહત્વનું છે કે નિત્યાનંદ આશ્રમ વિવાદમાં પોલીસે બે સંચાલિકાઓની ધરપકડ કરી હતી. જે બાદ બંને સંચાલિકાઓને પોલીસે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે વિવિધ કારણો રજૂ કરીને કોર્ટ પાસેથી 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. […]
નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં બંને સંચાલિકાઓનાં રિમાન્ડ મંજૂર કરાયા છે. મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે બંને સંચાલિકાઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.. મહત્વનું છે કે નિત્યાનંદ આશ્રમ વિવાદમાં પોલીસે બે સંચાલિકાઓની ધરપકડ કરી હતી. જે બાદ બંને સંચાલિકાઓને પોલીસે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે વિવિધ કારણો રજૂ કરીને કોર્ટ પાસેથી 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે કોર્ટ આ કેસમાં 5 દિવસના રિમાન્ડ આપ્યા છે. નિત્યાનંદ આશ્રમ કેસમાં ડીપીએસ સ્કૂલે પણ નોટિસ ફટકારીને આશ્રમ હટાવી લેવાનું કહ્યું છે તો આ બાજુ બાળકોનું શોષણ થતું હોય અને ત્રાસ આપવામાં આવતો હોય તેવી વિગતો પણ આશ્રમના આ કેસમાં સામે આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો