કોરોનાના તમામ નિતી નિયમો નેવે મૂકીને, છોટા ઉદેપુરમાં ધાર્મિક કાર્યક્રમ યોજનાર સામે પોલીસ ફરિયાદ, વિવિધ કલમો હેઠળ હાથ ધરાઈ કામગીરી
છોટા ઉદેપુરના એક ગામમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં કોરોનાનું સંકમણ અટકાવવા માટે જાહેર કરાયેલા નિતી નિયમોનું પાલન નહી કરાતા આયોજક સામે પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. છોટા ઉદેપરુના ગઢભીખાપુર ગામે, આદીવાસીઓના યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં અનેક લોકો ઉપસ્થિત થયા હતા. આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ, એપીએમસીના હોદ્દેદાર સહીતના સામાજીક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમ […]
છોટા ઉદેપુરના એક ગામમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં કોરોનાનું સંકમણ અટકાવવા માટે જાહેર કરાયેલા નિતી નિયમોનું પાલન નહી કરાતા આયોજક સામે પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. છોટા ઉદેપરુના ગઢભીખાપુર ગામે, આદીવાસીઓના યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં અનેક લોકો ઉપસ્થિત થયા હતા. આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ, એપીએમસીના હોદ્દેદાર સહીતના સામાજીક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમ માણવા આવેલાઓએ માસ્ક નહોતા પહેર્યા, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હતો. કાર્યક્રમ યોજવા માટે કોઈ મંજૂરી નહોતી લેવાઈ. મોટી માત્રામાં એકઠા થયા હતા. આમ વિવિધ નિતી નિયમો અને માર્ગદર્શીકાના ભંગ બદલ પોલીસે કાર્યક્રમના આયોજક સામે વિવિધ કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો