PM નરેન્દ્ર મોદીની મનકી બાત, કહ્યુ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ નવા કૃષિ કાયદામાં, કોરોના સામે બેદરકારી ઘાતક નિવડે, મેધાલયમાં ચેરી બ્લોસેમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, રેડીયો ઉપર પ્રસારીત, મન કી બાત કાર્યક્રમમાં ખેડૂતોના આંદોલનને ધ્યાને લઈને કૃષિ કાયદાઓની ઉપયોગીતા અને તેના ફાયદાઓ દાખલા સહીત વર્ણાવ્યા હતા. કૃષિ કાયદાને કારણે ખેડૂતોને કેવા પ્રકારના ફાયદાઓ થઈ રહ્યાં છે તે વર્ણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના ધુલેના ખેડૂતનો કિસ્સો ટાક્યો હતો. મહારાષ્ટ્રના ખેડૂત જિતેન્દ્ર ભોઈએ મકાઈની ખેતી કરી હતી. પાક સારો […]

PM નરેન્દ્ર મોદીની મનકી બાત, કહ્યુ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ નવા કૃષિ કાયદામાં, કોરોના સામે બેદરકારી ઘાતક નિવડે, મેધાલયમાં ચેરી બ્લોસેમ
Follow Us:
| Updated on: Nov 29, 2020 | 1:45 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, રેડીયો ઉપર પ્રસારીત, મન કી બાત કાર્યક્રમમાં ખેડૂતોના આંદોલનને ધ્યાને લઈને કૃષિ કાયદાઓની ઉપયોગીતા અને તેના ફાયદાઓ દાખલા સહીત વર્ણાવ્યા હતા. કૃષિ કાયદાને કારણે ખેડૂતોને કેવા પ્રકારના ફાયદાઓ થઈ રહ્યાં છે તે વર્ણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના ધુલેના ખેડૂતનો કિસ્સો ટાક્યો હતો.

મહારાષ્ટ્રના ખેડૂત જિતેન્દ્ર ભોઈએ મકાઈની ખેતી કરી હતી. પાક સારો થયો. વેપારી સાથે 3.32 લાખની વેચવાનું નક્કી કરાયું. જેના બાના પેટે વેપારી પાસેથી ખેડૂતે 25 હજાર એડવાન્સ લીધા.અને એવુ નક્કી થયુ કે 15 દિવસમાં નાણા ચૂકવી દેવાશે.પરંતુ સ્થિતિ એવી થઈ કે તેમના બાકીના પૈસા નક્કી કરેલ સમયમર્યાદા ના મળ્યા. લગભગ ચાર મહિના સુધી બાકીના નાણા ના મળ્યા. પરંતુ સપ્ટેમ્બરમાં પસાર કરાયેલા નવા કૃષિ કાયદાની મદદ મળી જિતેન્દ્ર ભોઈને. નવા કાયદા મુજબ ખેડૂતને તેના બાકી નાંણા ત્રણ મહિનામાં ચૂકવી દેવા પડશે. જો તેમ ના થાય તો ખેડૂત કાર્યવાહી કરી શકશે.

કોરોનાની ચિંતા કોરોના અંગે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોરોનાનો પહેલો કેસ સામે આવ્યાને લગભગ એક વર્ષ થવા આવશે. વિતેલા વર્ષને આપણે યાદ કરવા માંગતી નથી. વિશ્વભરમાં અનેક ઉતાર ચડાવ સામે આવ્યા છે. હવે લોકો લોકડાઉનને બદલે વેક્સિનની વાતો કરતા થયા છે. પરંતુ કોરોનાને લઈને કોઈ પણ પ્રકારે બેદરકારી દાખવવી નહી. બેદરકારી ઘાતક પૂરવાર થશે. કોરોના સામેની લડાઈ મજબુતાઈથી લડવી પડશે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ચેરી બ્લોસમની વાત ઈન્ટરનેટના માધ્યમથી સોશિયલ મિડીયામાં વાયરલ થઈ રહેલ ચેરી બ્લોસમની તસવીર બાબતે મોદીએ કહ્યુ કે, ચેરી બ્લોસમની વાત આવે એટલે જાપાન યાદ આવે તે સ્વાભાવિક છે. છેલ્લા કેટલાક સમયથી સોશયલ મિડીયામાં ચેરી બ્લોસમની તસવીર વાયરલ થઈ રહી છે આ તસવીર જાપાનની નહી પરંતુ આપણા જ દેશના મેધાલયના શિલોગની છે. મેધાલયના કુદરતી સૌદર્યમાં ચેરી બ્લોસમે વધારો કર્યો છે. ગુલાબી ફુલથી લદાયેલા ચેરી બ્લોસેમ દર વર્ષે શિયાળાના પ્રારંભે ખીલી ઉઠે છે. અલગ જ પ્રકારનો નજારો સર્જાય છે. મેધાલયના શિલોગમાં દર વર્ષે ચેરી બ્લોસમ ફેસ્ટીવલ મનાવવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">