ચંદ્રયાનના અવતરણને જોવા માટે ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ISROના સેન્ટર પર પહોંચશે
તો ચંદ્ર પર ભારતના વિક્રમને જોવા લોકો ઉત્સુક બની રહ્યા છે. ઉતાવળા બની ગયા છે. વૈજ્ઞાનિકો તો ઠીક, વિદ્યાર્થીઓ અને બાળકો પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માગે છે. પોતે વડાપ્રધાન નરેંદ્ર મોદી ઈસરો કેંદ્રમાં જઈ ભારતની સિદ્ધિને નજરે જોશે. એટલું જ નહીં તેમણે તો ટ્વીટ કરીને તમામ ભારતીયોને અપીલ કરી છે કે તેઓ આ […]
તો ચંદ્ર પર ભારતના વિક્રમને જોવા લોકો ઉત્સુક બની રહ્યા છે. ઉતાવળા બની ગયા છે. વૈજ્ઞાનિકો તો ઠીક, વિદ્યાર્થીઓ અને બાળકો પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માગે છે. પોતે વડાપ્રધાન નરેંદ્ર મોદી ઈસરો કેંદ્રમાં જઈ ભારતની સિદ્ધિને નજરે જોશે. એટલું જ નહીં તેમણે તો ટ્વીટ કરીને તમામ ભારતીયોને અપીલ કરી છે કે તેઓ આ અસાધારણ ક્ષણના સાક્ષી બને.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ભારત જે ઈતિહાસ ઘડવા જઈ રહ્યો છે તેને લઈને વડાપ્રધાન નરેંદ્ર મોદી પણ ખાસ્સા ઉત્સાહિત અને તેથી જ તેમણે એક, બે નહીં એક પછી એક પાંચ પાંચ ટ્વીટ કર્યા અને ઈસરોના વૈજ્ઞાનિકોની કામગીરીને બિરદાવી. તેમણે કહ્યું કે, જે ક્ષણનો 130 કરોડ ભારતીયો ઉત્સાહથી રાહ જોઈ રહ્યા હતા તે આવી ગઈ છે. થોડા કલાકોમાં, ચંદ્રયાન-2ના અંતિમ વંશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. ભારતના અવકાશ વૈજ્ઞાનિકોની અનુકરણીય શક્તિ વિશ્વમાં દેખાશે.