વડાપ્રધાન મોદી આજે ઉત્તરપ્રદેશ પ્રવાસે, કાર્યક્રમ સ્થળ પરથી જ PM કરશે ‘મન કી બાત’
વડાપ્રધાન મોદી આજે ઉત્તરપ્રદેશના પ્રવાસ પર રહેશે. લગભગ 2 કલાક પ્રયાગરાજમાં રહેશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી ચિત્રકુટના ભરતકૂપમાં આયોજિત એક વિશાળ કાર્યક્રમમાં સામેલ થશે. ચિત્રકુટમાં વડાપ્રધાન મોદી બુંદેલખંડ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે. આ સમારોહમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ સામેલ થશે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI […]
વડાપ્રધાન મોદી આજે ઉત્તરપ્રદેશના પ્રવાસ પર રહેશે. લગભગ 2 કલાક પ્રયાગરાજમાં રહેશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી ચિત્રકુટના ભરતકૂપમાં આયોજિત એક વિશાળ કાર્યક્રમમાં સામેલ થશે. ચિત્રકુટમાં વડાપ્રધાન મોદી બુંદેલખંડ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે. આ સમારોહમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ સામેલ થશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ દરમિયાન દેશભરમાં 10 હજાર નવા FPO બનાવવાના કાર્યક્રમનો શુભારંભ કરશે. દેશભરમાં 10 હજાર નવા ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) બનાવવાની યોજનાની જાહેરાત આ વખતના બજેટમાં કરવામાં આવી હતી. જેને તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી પ્રદાન કરી છે.
ત્યારે વડાપ્રધાન મોદી પ્રયાગરાજમાં 10 હજારથી વધારે દિવ્યાંગો અને 16 હજારથી વધારે વૃદ્ધોને સહાયક ઉપકરણ વહેંચવામાં આવશે. સાથે જ કાર્યક્રમ સ્થળથી જ વડાપ્રધાન મોદી ‘મન કી બાત’ કરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: પુલવામા હુમલા મામલે NIAને મળી મોટી સફળતા, આતંકીઓની મદદ કરનાર શાકિર બશીરની ધરપકડ