અમદાવાદઃ વડાપ્રધાનના કાર્યક્રમમાં થઈ શકે છે ફેરફાર, પીએમ મોદી કેશુબાપાની શ્રદ્ધાંજલિ સભામાં જાય તેવી શક્યતા
પીએમ નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવવાના છે. સી-પ્લેનના ઉદ્ધાટનની આ તૈયારીઓ વચ્ચે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થઈ ગયું છે, જેને કારણે PM મોદીના નિર્ધારિત કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે. તેઓ હવે દિલ્હી સીધી કેવડિયા જવાને બદલે ગાંધીનગર આવે એવી શક્યતા છે. પીએમ મોદી ગાંધીનગર આવીને કેશુભાઈ પટેલના પરિવારજનોને મળીને સાંત્વના […]
પીએમ નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવવાના છે. સી-પ્લેનના ઉદ્ધાટનની આ તૈયારીઓ વચ્ચે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થઈ ગયું છે, જેને કારણે PM મોદીના નિર્ધારિત કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે. તેઓ હવે દિલ્હી સીધી કેવડિયા જવાને બદલે ગાંધીનગર આવે એવી શક્યતા છે. પીએમ મોદી ગાંધીનગર આવીને કેશુભાઈ પટેલના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવે એવી સંભાવના છે. કેશુભાઈ પટેલના પરિવારજનોને મળ્યા બાદ વડાપ્રધાન મોદી કેવડિયા જઈ શકે છે. તેમના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. એટલું જ નહીં પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને કોન્વો રિહર્સલ પણ કર્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો