અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે PM મોદી દ્વારા બે યોજના લોન્ચ, જાણો ગુજરાતને શું થશે ફાયદો
આજે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી છે. જેને લઈ મોદી સરકારે તેમના નામ પર બે યોજનાઓ લૉન્ચ કરી છે. તેમાં એક અટલ ભૂજલ અને અટલ ટનલ યોજનાની શરૂઆત થઈ છે. દેશના સાત રાજ્યોમાં પાણીની યોગ્ય વ્યવસ્થા માટે અટલ જલ યોજના લૉન્ચ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરામાં કૃષિ સહાય પેકેજનું […]
આજે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી છે. જેને લઈ મોદી સરકારે તેમના નામ પર બે યોજનાઓ લૉન્ચ કરી છે. તેમાં એક અટલ ભૂજલ અને અટલ ટનલ યોજનાની શરૂઆત થઈ છે. દેશના સાત રાજ્યોમાં પાણીની યોગ્ય વ્યવસ્થા માટે અટલ જલ યોજના લૉન્ચ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરામાં કૃષિ સહાય પેકેજનું ડિજિટલ લોન્ચિંગ કર્યું
અટલ ભૂજલ યોજનાનો લાભ ગુજરાત સહિત 7 રાજ્યોને થશે. પાણીની સમસ્યાના ઉકેલ માટે અટલ ભૂજલ યોજનાને મંજૂરી આપી છે. અટલ ભૂજલ યોજના પર 5 વર્ષમાં 6 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. આમાં વર્લ્ડ બેંક 3 હજાર કરોડ અને સરકાર 3 હજાર કરોડ આપશે. સરકારે 6 રાજ્યોમાં અટલ ભૂજલ મિશનને મંજૂરી આપી છે. અટલ ભૂજલ યોજના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં લાગુ થશે.
PM #NarendraModi at Vigyan Bhawan in #Delhi : Today an important project that is very important for the country has been dedicated to Atal ji. Rohtang Tunnel connecting Himachal Pradesh to Ladakh and Jammu Kashmir, and connecting Manali with Leh, will now be known as Atal Tunnel. pic.twitter.com/5oWB9lZW0f
— Tv9 Gujarati (@tv9gujarati) December 25, 2019
આ યોજના પાણીનો બગાડ અટકાવવામાં મદદ કરશે. અને પાણીનો યોગ્ય ઉપયોગ થશે. તેનો હેતુ પાણીની સુરક્ષા માટે ગામને તૈયાર કરવાનું છે. પાણીનો ઉપયોગ કરવાથી ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ મળશે. આ યોજનાનો લાભ 8,350 ગામોને થશે.
PM #NarendraModi: Will ensure that every house gets access to water through Atal Jal Yojana. Atal ji's vision on water management continues to inspire us even today. We need to move towards micro-irrigation.#TV9News pic.twitter.com/GJyiusXwBK
— Tv9 Gujarati (@tv9gujarati) December 25, 2019
તો કેબિનેટ બેઠકમાં અટલ ટનલ યોજનાને પણ લીલીઝંડી આપવામાં આવી છે. અટલ ટનલ મનાલીથી લેહ સુધી છે. 2005માં મંજૂરી મળી હતી. આ માટે 4 હજાર કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. 8.8 કિલોમીટર લાંબી ટનલ બનશે. અંદાજે 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ ટનલ વિશ્વની સૌથી ઉંચી ટનલ હશે. આનાથી 46 કિમીની મુસાફરી અને 5 કલાકની બચત થશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો