દિવાળીના તહેવારોમાં કોરોના મહામારી બની મહાસંકટ, મહામારીમાં ઉજવાઇ રહેલું મહાપર્વ જીવલેણ સાબિત થઇ શકે છે
મહામારીમાં ઉજવાઇ રહેલું મહાપર્વ નાગરિકો માટે જીવલેણ સાબિત થઇ શકે છે. તહેવારોમાં નાગરિકોએ મન મુકીને કરેલી ખરીદી અને કોવિડ ગાઇડલાઇનનો કરેલો ભંગ ભારે પડી શકે છે. તહેવારોનો મહિનો ગણાતા નવેમ્બરની શરૂઆતથી જ કોવિડ હોસ્પિટલો પર હાઉસફૂલના પાટિયા લાગી ગયા છે અને એક જ સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં 80%નો વધારો થયો છે. એપ્રિલ અને મે માસમાં જેમ […]
મહામારીમાં ઉજવાઇ રહેલું મહાપર્વ નાગરિકો માટે જીવલેણ સાબિત થઇ શકે છે. તહેવારોમાં નાગરિકોએ મન મુકીને કરેલી ખરીદી અને કોવિડ ગાઇડલાઇનનો કરેલો ભંગ ભારે પડી શકે છે. તહેવારોનો મહિનો ગણાતા નવેમ્બરની શરૂઆતથી જ કોવિડ હોસ્પિટલો પર હાઉસફૂલના પાટિયા લાગી ગયા છે અને એક જ સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં 80%નો વધારો થયો છે. એપ્રિલ અને મે માસમાં જેમ કોરોના વિસ્ફોટ થયો હતો તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં દિવાળીના દિવસે કોરોનાના 134 દર્દીઓને એડમિટ કરાયા છે, જેમાંથી 91 દર્દીઓને ગંભીર અવસ્થામાં એડમિટ કરવામાં આવ્યા છે. ધનતેરસ-કાળી ચૌદશના દિવસે કુલ 157 દર્દી એડમિટ કરાયા હતા. શુક્રવારે એડમિટ કરાયેલામાંથી 98 દર્દીઓ ગંભીર હતા. હજુ પણ કોરોના દર્દીઓનો આંકડો વધવાની ભીતિ સેવાઈ રહી છે.
આ પણ વાંચો: બિહાર: નીતિશ કુમારને બિહાર NDAના નેતા તરીકે પસંદ કરાયા, આવતીકાલે લઇ શકે છે શપથ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો