CAA મુદે CM નીતિશની પાર્ટીમાં મોટો વિવાદ, વરિષ્ઠ નેતાએ આપી રાજીનામાની ચીમકી
નાગરિકતા કાયદાને લઈને દેશમાં રાજનીતિ થઈ રહી છે. કોંગ્રેસ આ કાયદાનો વિરોધ કરી રહી છે તો ભાજપ આ કાયદાને કોઈપણ ભોગે નહીં દૂર કરવા અંગે નિવેદનો આપી રહી છે. આ તમામની વચ્ચે ગઠબંધનની પાર્ટીઓમાં વિરોધના સૂર ઉઠી રહ્યાં છે. બિહારમાં ભાજપ અને જેડીયુની સરકાર છે અને તેના લીધે જેડીયુ હજુપણ આ કાયદાને લઈને પોતાનું વલણ […]
નાગરિકતા કાયદાને લઈને દેશમાં રાજનીતિ થઈ રહી છે. કોંગ્રેસ આ કાયદાનો વિરોધ કરી રહી છે તો ભાજપ આ કાયદાને કોઈપણ ભોગે નહીં દૂર કરવા અંગે નિવેદનો આપી રહી છે. આ તમામની વચ્ચે ગઠબંધનની પાર્ટીઓમાં વિરોધના સૂર ઉઠી રહ્યાં છે. બિહારમાં ભાજપ અને જેડીયુની સરકાર છે અને તેના લીધે જેડીયુ હજુપણ આ કાયદાને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કરી શકી નથી.
આ પણ વાંચો : શાહીનબાગ વિરોધ પર કરી પોસ્ટ, ભાજપના નેતાને 1 કરોડ રુપિયાની માનહાનિની નોટિસ
આ સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિમાં જેડીયુના નેતાઓ વિરોધ કરી રહ્યાં છે. નાગરિકતા કાયદાને લઈને મુખ્યમંત્રી નીતિશ કુમારની સામે પાર્ટીના નેતાઓ જ બાગી બની રહ્યાં છે. હવે પાર્ટીના વરિષ્ઠ નેતા પવન વર્માએ રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી છે. આ સિવાય મુખ્યમંત્રીને તેમના પત્રનો જવાબ આપવા તેમજ આ કાયદા અંગે ચોક્કસ સ્ટેન્ડ લેવા માટે કહ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઉલ્લેખનીય છે કે બિહારના સીએમ નીતિશ કુમારે જાહેરાત કરી હતી કે તેના રાજ્યમાં કોઈ જ એનઆરસી લાગુ નહીં થાય. આ સિવાય ભાજપની સાથે ગઠબંધનમાં કેટલીક એવી પાર્ટી છે જેને આ કાયદાને લઈને વાંધો છે. દિલ્હીમાં ભાજપ અને અકાલી વચ્ચે આ કાયદાને લઈને વિવાદ થતાં સાથે ના લડવાની જાહેરાત કરવામાં આવી છે. મોટા નેતાઓની ચિમકીના લીધે બિહારમાં રહેલાં ભાજપ-જેડીયુના ગઠબંધન પર અસર પડી શકે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]