ઈયળોએ મચાવ્યો આતંક: એકાએક ઈયળોનો ઉપદ્રવ વધી જતા એરંડાનો તમામ પાક નાશ પામ્યો, જુઓ VIDEO

પાટણમાં માવઠાએ ભલે ખેડૂતોની મુશ્કેલી ન વધારી હોય પરંતુ ઈયળોએ જગતના તાતની ઊંઘ હરામ કરી દીધી છે. પાટણના સાંતલપુરમાં ઈયળોએ જાણે આતંક મચાવ્યો છે. ખેતરોમાં એકાએક ઈયળોનો ઉપદ્રવ એવો વધી ગયો કે એરંડાનો તમામ પાક નાશ પામ્યો છે. ચોમાસુ વિત્યા બાદ ખેડૂતોને આશા હતી કે, એરંડાનું વાવેતર કરવાથી વર્ષ સારુ જશે. પરંતુ ઈયળોએ ખેતરનો તમામ […]

ઈયળોએ મચાવ્યો આતંક: એકાએક ઈયળોનો ઉપદ્રવ વધી જતા એરંડાનો તમામ પાક નાશ પામ્યો, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 10, 2019 | 3:16 PM

પાટણમાં માવઠાએ ભલે ખેડૂતોની મુશ્કેલી ન વધારી હોય પરંતુ ઈયળોએ જગતના તાતની ઊંઘ હરામ કરી દીધી છે. પાટણના સાંતલપુરમાં ઈયળોએ જાણે આતંક મચાવ્યો છે. ખેતરોમાં એકાએક ઈયળોનો ઉપદ્રવ એવો વધી ગયો કે એરંડાનો તમામ પાક નાશ પામ્યો છે. ચોમાસુ વિત્યા બાદ ખેડૂતોને આશા હતી કે, એરંડાનું વાવેતર કરવાથી વર્ષ સારુ જશે. પરંતુ ઈયળોએ ખેતરનો તમામ પાકનો નાશ કરી દીધો છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

આ પણ વાંચો: VIDEO: મિશ્રઋતુને કારણે રોગચાળાના કેસમાં વધારો, ચાલુ વર્ષે શંકાસ્પદ ડેન્ગ્યુથી 9 લોકોના મોત

ખાસ કરીને સાંતલપુરના મઢૂત્રા ગામમાં ઈયળોના ત્રાસથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. ધરતીપુત્રોએ 15 હજાર હેક્ટર જમીનમાં એરંડાનું વાવેતર કર્યું હતું. પરંતુ તમામ પાક નાશ પામ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એવુ નથી કે ખેડૂતો પાકને બચાવવા માટે દવા નથી છાંટતા પરંતુ દવા છાંટ્યા બાદ પણ એક દિવસમાં ફરી ઈયળો આવીને પાકનો નાશ કરી નાખે છે. જેના કારણે ખેડૂતોને બમણુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવે ઈયળોના કારણે ત્રાસી ઉઠેલા ખેડૂતો સરકાર પાસે મદદની આશ લગાવી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">