દેશની સંસદમાં હવે સસ્તું ભોજન મળશે નહીં…કેન્ટિનમાં સબસીડીને કરાશે બંધ!
દેશની સંસદમાં કેન્ટિનમાંથી એક સમાચાર સામે આવ્યા છે. સાંસદોને મળતી સબસીડી હવે બંધ થઈ શકે છે. સાંસદોને ભોજન માટે છૂટ મળતી હતી. જે થોડા દિવસોમાં બંધ કરવામાં આવી શકે છે. હવે સાંસદોને સબસીડિ વગર કિંમત ચૂકવવી પડશે. આ નિર્ણય સાથે અનેક પાર્ટી એકમત છે. આ પણ વાંચોઃ બિનસચિવાલયની પરીક્ષાના વિરોધમાં આંદોલન કરતા પરીક્ષાર્થીઓના જૂથમાં પડ્યા […]
દેશની સંસદમાં કેન્ટિનમાંથી એક સમાચાર સામે આવ્યા છે. સાંસદોને મળતી સબસીડી હવે બંધ થઈ શકે છે. સાંસદોને ભોજન માટે છૂટ મળતી હતી. જે થોડા દિવસોમાં બંધ કરવામાં આવી શકે છે. હવે સાંસદોને સબસીડિ વગર કિંમત ચૂકવવી પડશે. આ નિર્ણય સાથે અનેક પાર્ટી એકમત છે.
આ પણ વાંચોઃ બિનસચિવાલયની પરીક્ષાના વિરોધમાં આંદોલન કરતા પરીક્ષાર્થીઓના જૂથમાં પડ્યા બે ફાંટા
લોકસભા સ્પીકર ઓમ બિડલાના મંતવ્ય પછી બિઝનેસ એડવાઈઝરી કમેટીએ આ મુદ્દે ચર્ચા કરી છે. જેમાં તમામ પાર્ટીએ આ મામલે સહમતી દર્શાવી હતી. જો સંસદની કેન્ટીનમાંથી સબસીડી દૂર કરવામાં આવે તો વાર્ષિક 17 કરોડ રૂપિયાની બચત થશે.
ગત લોકસભામાં ભોજનની કિંમતમાં વધારો કરી દેવાયો હતો. અને સબસીડીનું બિલ ઓછું કરવામાં આવ્યું હતું. પરંતુ હવે જ્યારે સબસીડિને પૂરી રીતે બંધ કરવાની તૈયારી છે. સંસદની કેન્ટિનમાં સબસીડી સાથે આપવામાં આવતા ભોજનને લઈ અનેક વખત વિવાદ સર્જાયો છે. થોડા દિવસ પહેલા સંસદની કેન્ટિનનું ભાવપત્રક પણ જાહેર થયું હતું.