પંચમહાલના પાવાગઢ મંદિરમાં ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, કોરોના મહામારીના ભયને કારણે દર્શનાર્થીઓની સંખ્યા ઘટી
પંચમહાલના પાવાગઢ મંદિરમાં ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. લાભ પાંચમ પછી મંદિરમાં રેગ્યુલર આવતા દર્શનાર્થીઓ આવી રહ્યા છે. પરંતુ ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાંથી દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ વધતા દર્શનાર્થીઓ ઘટ્યા છે. મહત્વનું છે કે પાવાગઢ રોપવે અને મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક અને […]
પંચમહાલના પાવાગઢ મંદિરમાં ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. લાભ પાંચમ પછી મંદિરમાં રેગ્યુલર આવતા દર્શનાર્થીઓ આવી રહ્યા છે. પરંતુ ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાંથી દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ વધતા દર્શનાર્થીઓ ઘટ્યા છે. મહત્વનું છે કે પાવાગઢ રોપવે અને મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક અને સેનિટાઈઝ કર્યા બાદ જ પ્રવેશ અપાઈ રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો