પાકિસ્તાનના વિદેશ મંત્રીએ તારીખ સાથે કહ્યું કે ભારત પાકિસ્તાન પર આ દિવસોમાં હુમલો કરી શકે છે!
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ નિવેદન આપ્યું છે કે પાકિસ્તાન પર આગામી સમયમાં હુમલો થઈ શકે અને ભારત આવનારી 16 એપ્રિલથી 20 એપ્રિલની વચ્ચે આ હુમલો કરાવી શકે છે. પાકિસ્તાનની ચેનલ Geo Newsના અહેવાલ મુજબ પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરૈશીએ કહ્યું કે પાકિસ્તાનની વિરુદ્ધમાં ભારત 16 એપ્રિલથી 20 એપ્રિલની વચ્ચે હુમલો કરે તેવી સંભાવના છે. તેમણે કહ્યું કે […]
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ નિવેદન આપ્યું છે કે પાકિસ્તાન પર આગામી સમયમાં હુમલો થઈ શકે અને ભારત આવનારી 16 એપ્રિલથી 20 એપ્રિલની વચ્ચે આ હુમલો કરાવી શકે છે.
પાકિસ્તાનની ચેનલ Geo Newsના અહેવાલ મુજબ પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરૈશીએ કહ્યું કે પાકિસ્તાનની વિરુદ્ધમાં ભારત 16 એપ્રિલથી 20 એપ્રિલની વચ્ચે હુમલો કરે તેવી સંભાવના છે. તેમણે કહ્યું કે અમારી પાસે જે ગોપનીય જાણકારી છે તેના અનુસાર પાકિસ્તાનની વિરુદ્ધમાં ભારત સૈન્ય કાર્યવાહીને યોગ્ય ગણાવીને પુલવામાં જેવો કોઈ હુમલો કે ઘટના પાકિસ્તાન પર રાજકીય દબાવ વધારવા માટે કરી શકે છે.
કુરૈશીએ વધુમાં કહ્યું કે પ્રધાનમંત્રી ઈમરાન ખાનની સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ, પાકિસ્તાનના લોકોની સાથે આંતરરાષ્ટ્રીય સ્તર પર અમે આ જાણકારી આપીશું તેવો નિર્ણય અમે કર્યો છે. રાષ્ટ્રને જાણકારી આપની એ અમારી નીતિ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]