કોરોના મહામારી દરમિયાન 68 ટકા ભારતીયોમાં ઓનલાઈન શોપિંગની આદતમાં વધારો
કોરોના મહામારીના કારણે ભારતીય ગ્રાહકોમાં ઓનલાઈન શોપિંગ કરવાની પ્રવૃતિમાં મોટો વધારો જોવા મળ્યો છે. કોમ્પ્યુટર સુરક્ષાથી સંબંધિત કંપની મેકએફીએ કહ્યું કે તેમના દ્વારા કરેલા એક સર્વેમાં કોરોના શરૂ થયા બાદ ઓનલાઈન શોપિંગમાં 68 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ પરિણામથી જાણી શકાય છે કે ગ્રાહકો ઓનલાઈન મંચ પર પોતાને પર્યાપ્ત રીતે સુરક્ષિત નથી કરી રહ્યા, […]
કોરોના મહામારીના કારણે ભારતીય ગ્રાહકોમાં ઓનલાઈન શોપિંગ કરવાની પ્રવૃતિમાં મોટો વધારો જોવા મળ્યો છે. કોમ્પ્યુટર સુરક્ષાથી સંબંધિત કંપની મેકએફીએ કહ્યું કે તેમના દ્વારા કરેલા એક સર્વેમાં કોરોના શરૂ થયા બાદ ઓનલાઈન શોપિંગમાં 68 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ પરિણામથી જાણી શકાય છે કે ગ્રાહકો ઓનલાઈન મંચ પર પોતાને પર્યાપ્ત રીતે સુરક્ષિત નથી કરી રહ્યા, કારણ કે માત્ર એક ચતુર્થ 27.5 ટકા ભારતીયોએ જ ઓનલાઈન સિક્યુરિટી સોલ્યુશનનો ઉપયોગ કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મેકએફી ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ મેનેજિંગ ડિરેક્ટર વેંકટ કૃષ્ણાપુરે એક નિવેદનમાં કહ્યું કે શોપિંગની આ પ્રવૃતિમાં આગળ વધારો થશે, કારણ કે ગ્રાહક સ્ટોરમાં ન જઈ ઓનલાઈન શોપિંગ કરશે. ઓનલાઈન પૈસાની લેણ-દેણમાં વૃદ્ધિને જોતા સાઈબર ક્રિમિનલ્સ તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશે, ત્યારે એવામાં જરૂરી છે કે યૂઝર્સ સંભવિત ખતરાને લઈ સર્તક રહે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો