15 જાન્યુઆરી 2020થી સરકાર 12 રાજ્યોમાં લાગૂ કરશે ‘વન નેશન વન રાશનકાર્ડ’
સરકાર 12 રાજ્યોમાં ‘વન નેશન વન રાશનકાર્ડ’ સ્કીમ 15 જાન્યુઆરી 2020થી શરૂ કરવા જઈ રહી છે. આંધ્રપ્રદેશ, હરિયાણા, ગુજરાત અને કર્ણાટક સહિત 8 રાજ્યોમાં ઈન્ટરપોર્ટોબિલિટી શરૂ થવાથી સામાન્ય લોકોને આ રાજ્યોમાં રાશનકાર્ડ બદલવુ નહીં પડે. લાભાર્થી બાયોમેટ્રિક સર્ટિફિકેશન પછી પોતાના રાશનકાર્ડ દ્વારા રાષ્ટ્રીય ખોરાક અધિનિયમ હેઠળ સસ્તા ભાવમાં ચોખા અને ઘઉં ખરીદી શકે છે. Web […]
સરકાર 12 રાજ્યોમાં ‘વન નેશન વન રાશનકાર્ડ’ સ્કીમ 15 જાન્યુઆરી 2020થી શરૂ કરવા જઈ રહી છે. આંધ્રપ્રદેશ, હરિયાણા, ગુજરાત અને કર્ણાટક સહિત 8 રાજ્યોમાં ઈન્ટરપોર્ટોબિલિટી શરૂ થવાથી સામાન્ય લોકોને આ રાજ્યોમાં રાશનકાર્ડ બદલવુ નહીં પડે. લાભાર્થી બાયોમેટ્રિક સર્ટિફિકેશન પછી પોતાના રાશનકાર્ડ દ્વારા રાષ્ટ્રીય ખોરાક અધિનિયમ હેઠળ સસ્તા ભાવમાં ચોખા અને ઘઉં ખરીદી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઈન્ટરપોર્ટોબિલિટી માટે લાભાર્થીઓને કોઈ પણ રીતે વધારાના પૈસા કે પછી ડોકયુમેન્ટ આપવા પડશે નહીં. તેની સાથે જ તેમના રાજ્યમાં હાલના રેશનકાર્ડને પરત આપીને કાર્ડ માટે અરજી કરવાની રહેશે નહીં.
આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે શનિવારનો દિવસ શુભ રહેશે
હાલમાં ‘વન નેશન વન રાશનકાર્ડ’ની સ્કીમને 12 રાજ્યોમાં લાગૂ કરવામાં આવી રહી છે, ત્યારબાદ જૂન 2020 સુધી આ સ્કીમ કુલ 20 રાજ્યોમાં લાગૂ કરવામાં આવશે. આ યોજનાના કોમ્પ્યુટરાઈઝેશન માટે 880 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. દેશમાં લગભગ 79 કરોડ લોકોની પાસે રાશનકાર્ડ છે. ‘વન નેશન વન રાશનકાર્ડ’ની સ્કીમ હેઠળ ઓછી આવકવાળા લોકો એક રાજ્યથી બીજા રાજ્યમાં જઈ કોઈ પણ રાશનની દુકાનથી અનાજ ખરીદી શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]