ભાજપના વધુ એક નેતાએ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી, આખરે આ અધિકારીઓ પર કોના ચાર હાથ છે?
અધિકારીઓ સામાન્ય જનતાનું નથી સાંભળતા આવા કિસ્સાઓ તો અવાર નવાર બનતા જ હોય છે, પરંતુ શાસક પક્ષના નેતાઓ અને MLAને પણ હવે આવા અનુભવ થઈ રહ્યા છે. અધિકારીઓની મનમાની સામે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે.જાડેજા બાદ હવે અમદાવાદ ના ભાજપના MLA રાકેશ શાહે પણ નારાજગી વ્યક્ત કરી છે. Web Stories View more Green Tea Bag […]
અધિકારીઓ સામાન્ય જનતાનું નથી સાંભળતા આવા કિસ્સાઓ તો અવાર નવાર બનતા જ હોય છે, પરંતુ શાસક પક્ષના નેતાઓ અને MLAને પણ હવે આવા અનુભવ થઈ રહ્યા છે. અધિકારીઓની મનમાની સામે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે.જાડેજા બાદ હવે અમદાવાદ ના ભાજપના MLA રાકેશ શાહે પણ નારાજગી વ્યક્ત કરી છે.
ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ. કે.જાડેજા બાદ ભાજપના ધારાસભ્ય રાકેશ શાહ પણ અધિકારીઓથી નારાજ કરી વહીવટી તંત્રને રજુઆતKinjal Mishra Rakesh Shah BJP Gujarat#TV9News #tv9live #tv9fblive #Gujarat #Ahmedabad #BJP
TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, १३ सप्टेंबर, २०१९
સ્માર્ટ સીટી ગણાતા અમદાવાદના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. અમદવાદના BRTS રૂટ પર અવાર નવાર અકસ્માતના બનાવ બની રહ્યા છે. ગઈકાલે ધરણીધર દેરાસર પાસે BRTS રૂટ પર અકસ્માત સર્જાતા MLA રાકેશ શાહે અધિકારીઓ સામે નારાજગી વ્યકત કરી છે. કેમ કે BRTS રૂટ પર વધી રહેલા અકસ્માતોને લઈ કોરિડોરના રૂટ પર બસની સ્પીડ કંટ્રોલ કરવા માટે સ્પીડ બ્રેકર લગાવવાની AMCમાં અનેક વાર રજુઆત કરવા છતાં મહાનગર પાલિકાના સત્તાધિશોએ સ્પીડ બ્રેકર લગાવવાની તસ્દી લીધી નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ અંગે કલેકટર વિભાગ તેમજ પોલીસ અધિકારીઓને પણ અવાર નવાર પત્ર લખવામાં આવ્યા છે. બેઠકમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું. જો કે હજુ સુધી કોઈ સમાધાન આવ્યું નથી. ઉલટાનું વધુ એક અકસ્માત સર્જાયો. શુક્રવારે સમગ્ર મામલે વિવાદ થતા અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવાની બાંહેધરી આપવામાં આવી છે.
જો કે હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવમાં આવ્યા નથી. એક તરફ શહેરમાં ટ્રાફિક અને બિસ્માર રોડના કારણે અકસ્માતના આંકડા વધી રહ્યા છે, ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા પણ ભાજપના વડોદરાના MLA મધુ શ્રીવાસ્તવ, યોગેશ પટેલ, કેતન ઈનામદાર દ્વારા પણ સરકાર સમક્ષ અધિકારીઓ રજુઆત ના સાંભળતા હોવાનું તથા પ્રજાલક્ષી કામ ન કરતા હોવાની સરકારમાં રજુઆત કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સામાન્ય રીતે ભાજપના ધારાસભ્ય કે સાંસદ કે હોદ્દેદારો મીડિયામાં તેમના પ્રશ્નોને ઉઠાવવાનું ટાળતા હોય છે. 3 વર્ષ કરતા વધુ સમયથી ભાજપના ધારાસભ્ય તંત્રને પ્રજાના પ્રશ્નોની રજુઆત કરતા રહે છે પણ તંત્રના બહેરા કાન સાંભળતા જ નથી. સત્તાધારી પક્ષના ધારાસભ્યોને હવે આ મામલે જાહેરમાં રજુઆત કરવાની ફરજ પડી છે, ત્યારે સવાલ એ ઉભો થાય છે આખરે કોના ઈશારે અધિકારીઓને છાવરવામાં આવે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]