હૃદયથી લઈને પેટની બધી બિમારીઓને દૂર રાખશે રોજનું એક કેળું
હેલ્ધી અને બીમારીઓથી દુર રહેવા માટે સ્વસ્થ આહાર ખૂબ જરૂરી છે. તમારી ડાયેટમાં જો શાકભાજી અને ફળ રોજનું ખાવાનું રાખશો તો તમારો દિવસ તો સારો જશે જ પણ સાથે સાથે તમને તંદુરસ્તી પણ મળશે. આરોગ્ય નિષ્ણાંતો માને છે કે રોજનું એક કેળું ખાવાથી અસંખ્ય બીમારીઓથી દૂર રહી શકાય છે. કેળામાં વિટામિન એ, પોટેશિયમ, મેગ્નેશિયમનો ખજાનો […]
હેલ્ધી અને બીમારીઓથી દુર રહેવા માટે સ્વસ્થ આહાર ખૂબ જરૂરી છે. તમારી ડાયેટમાં જો શાકભાજી અને ફળ રોજનું ખાવાનું રાખશો તો તમારો દિવસ તો સારો જશે જ પણ સાથે સાથે તમને તંદુરસ્તી પણ મળશે. આરોગ્ય નિષ્ણાંતો માને છે કે રોજનું એક કેળું ખાવાથી અસંખ્ય બીમારીઓથી દૂર રહી શકાય છે. કેળામાં વિટામિન એ, પોટેશિયમ, મેગ્નેશિયમનો ખજાનો છે. જે હૃદયથી લઈને પેટની બધી બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે.
1). હાઈ બ્લડપ્રેશર હૃદય અને મગજની બીમારીઓ સાથે જોડાયેલું છે. તેના દર્દીઓને પોટેશિયમ ખાવાની સલાહ આપવામાં આવે છે. કેળામાં આ ખનીજ તત્વ ભરપૂર માત્રામાં છે. તેને ખાવાથી શરીરમાં સોડિયમની માત્રા ઓછી થઈ જાય છે જેથી કોશિકાઓ પર પડનારું દબાણ ઓછું થાય છે.
2). ફેટી લીવરની બીમારીમાં વ્યક્તિની પાચનશક્તિ ઓછી થઈ જાય છે. તેવામાં રોજ એક કેળું ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને શરીરને જરૂરી પોષકતત્વો પણ મળે છે.
3). શરીરમાં જ્યારે યુરિક એસિડ વધી જાય છે ત્યારે તેનાથી સાંધાનો દુઃખાવો, ઉઠવા બેસવામાં મુશ્કેલી થાય છે. રોજનું એક કેળું ખાવાથી તેમાં રહેલ પોટેશિયમ યુરિક એસિડને પેશાબ મારફતે બહાર કાઢવામાં મદદ કરે છે.
4). જે લોકોને પોતાનું વજન ઓછું કરવું હોય તેઓએ અઠવાડિયામાં 3 થી 4 વખત કાચા કેળાનું સેવન કરવું જોઈએ. કાચા કેળામાં કેલેરીની માત્રા ઓછી હોય છે. અને તે ખાવાથી કેલ્શિયમ મળે છે. જે ફેટને બર્ન કરવામાં મદદ કરે છે અને તેનાથી હાડકા પણ મજબૂત થાય છે.
આ પણ વાંચોઃસુરતમાં તબીબે ભજવી ફાયર ઓફિસરની ભૂમિકા, આગ પર કાબુ મેળવી બચાવ્યા લોકોના જીવ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો