એક સમયે PM મોદીએ તલાટીકાકાને કહ્યું હતું કે વિશ્વાસ રાખો, રામમંદિર બનશે!

કિંજલ મિશ્રા| અમદાવાદ: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે ભાજપ અને તેની ભગિની સંસ્થાઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. રામ મંદિર અયોધ્યામાં જ બને તે માટે અનેક ગુજરાત ભાજપના કાર્યકરોએ આકરી બાધાઓ રાખી હતી. તેવા જ એક કાર્યકર એટલે પેન્ટર રમેશ તલાટી. રમેશ તલાટીએ પોતાના જીવન 20 વર્ષે સુધી મોન ધારણ કર્યું હતું. આખરે […]

એક સમયે PM મોદીએ તલાટીકાકાને કહ્યું હતું કે વિશ્વાસ રાખો, રામમંદિર બનશે!
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 09, 2019 | 1:14 PM

કિંજલ મિશ્રા| અમદાવાદ: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે ભાજપ અને તેની ભગિની સંસ્થાઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. રામ મંદિર અયોધ્યામાં જ બને તે માટે અનેક ગુજરાત ભાજપના કાર્યકરોએ આકરી બાધાઓ રાખી હતી. તેવા જ એક કાર્યકર એટલે પેન્ટર રમેશ તલાટી. રમેશ તલાટીએ પોતાના જીવન 20 વર્ષે સુધી મોન ધારણ કર્યું હતું. આખરે તેમના મૃત્યુના 9 વર્ષે બાદ રામ મંદિર માટે તેમને રાખેલી બાધા એ પૂર્ણ થઈ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય તે માટે ભાજપ અને સંઘની અનેક ભગિની સંસ્થાઓએ વર્ષોથી લડાઈ લડી. આખરે હવે દેશની સર્વોચ્ચ અદાલતે દ્વારા અયોધ્યામાં જ રામ મંદિર બનવાનો નિર્ણય આપી દીધો. ત્યારે ભાજપ સાથે જોડાયેલા અનેક જુના કાર્યકરોની રામ મંદિર માટે રાખવામાં આવેલી બાધા ફળી છે. ભાજપના તે સમયના કાર્યકરોમાં રામ મંદિર માટે એટલો તે પ્રેમ હતો કે પોતાના જીવનના 20 વર્ષ મોન ધારણ કરવાની આકરી બાધાઓ કાર્યકરોએ રાખી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

એવા જ એક કાર્યકર એટલે પેન્ટર રમેશ તલાટી. ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે પેન્ટર રમેશ તલાટીએ વર્ષો સુધી પોતાની સેવા આપી હતી. વર્ષ 1990માં જયારે સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા નીકળેલી હતી ત્યારે ભાજપના આ પેન્ટર કાર્યકર રમેશ તલાટીએ અયોધ્યામાં રામ મંદિર બને તે માટે એક બાધા લીધી હતી. ભાજપના આ કાર્યકરે જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર ન બને ત્યાં સુધી મોન ધારણ કરીશ તે પ્રકારની કઠોર બાધા લીધી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

1990માં લીધેલી પેન્ટર રમેશ તલાટીની બાધા એ હવે તેમના મૃત્યુના 9 વર્ષે બાદપૂર્ણ થઈ છે. રમેશ તલાટીએ પોતાના જીવના 20 વર્ષે મોન ધારણ કરી રામ મંદિર માટે આકરી બાધા રાખી હતી. પેન્ટર રમેશ તલાટી એ વર્ષે 2010માં દેવ થયા અને તેમના દેવ થયાના 9 વર્ષે બાદ અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો નિર્ણયએ દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવ્યો છે.

પેઈન્ટરકાકા

રમેશ તલાટીએ પેન્ટર હતા. તે સમયે દીવાલ પર વોલ પેન્ટીંગ દ્વારા સૂત્રો લખવામાં આવતા હતા. પેન્ટર રમેશ તલાટી પણ ગર્વ સે કહો હમ હિન્દૂ હે અને જય શ્રી રામના સૂત્રોએ વર્ષે 1990ની યાત્રા દરમ્યાન અમદાવાદ શહેરની દીવાલો પર લખી ભાજપનો પ્રચાર પ્રસાર કરતા હતા. આજે ચુકાદાની સાથે ભાજપ કાર્યાલય પર રમેશ તલાટીને યાદ કરવામાં આવ્યા હતા. તેમના કઠોર વ્રત અંગે પણ ચર્ચાઓ ચાલી હતી.

આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે પેઈન્ટીંગ કરતાં,ભાજપનાં સૂત્રો, સ્લોગનને દિવાલો પર ચીતરવાનું કામ તેઓ કરતાં. બેનરો બનાવતાં અને લગભગ ભૂખ્યાં વધુ રહેતાં. સતત વિચાર અને બીડી તેમનો ખોરાક. હમેશાં સફેદ ઝભ્ભો-લેંઘાે પહેરે અને એકદમ દુબળાં એવાં લાગણીશીલ વ્યક્તિને બધાં “તલાટીકાકા “કહીને બોલાવતાં હતાં.

તેમણે  ‘જયાં સુધી રામમંદીર નહીં બને ત્યાં સુધી હું બોલીશ નહીં. ‘ નહીં બોલવાની એટલે કે  મૌન રહેવાની બાધા લીધી હતી.તે સમયે નરેન્દ્રભાઈ મોદી પ્રદેશ મહામંત્રી હતાં અને તેમની સાથે ઘણીવાર વાતો કરતાં અને રામમંદીર ક્યારે બનશે? તેવું પૂછતાં હતાં. નરેન્દ્રભાઈ કહેતાં કે “વિશ્વાસ અને શ્રધ્ધા રાખો તલાટીજી…રામમંદીર બનશે.” તેમનું તા. 11 જૂન, 2010નાં રોજ દુ:ખદ અવસાન થયું.  આજે તે દેહસ્વરુપે નથી પરંતુ તેઓ તેમની રામ પ્રત્યેની શ્રધ્ધાં-આસ્થાની બાધા સ્વરુપે જીવે છે. આજે રામજન્મભૂમિનો ચુકાદા પછી આજે નરેન્દ્રભાઈ સાથેનો તલાટીકાકાનો જૂનો ફોટો કહી રહ્યો છે કે મેં કહ્યું હતું ને કે શ્રધ્ધા રાખો, વિશ્વાસ રાખો,  તલાટીકાકા હવે રામમંદીર બનશે.

આજે જયારે રામમંદીર નિર્માણ માટેનો સુપ્રિમકોર્ટનો ચુકાદો આવ્યો છે ત્યારે તેમને મારી હ્રદયપૂર્વક અશ્રુભરી, શ્રધ્ધાંજલિ. છેલ્લાં 5 દશકમાં રામમંદીર માટે અનેક લોકોએ પોતાનું બલિદાન આપ્યું હશે. અનેક તપસ્વી લોકોએ સંઘર્ષ કર્યો છે.  1989 થી 1998 દરમિયાન ભાજપ સાથે સંકળાયેલ તમામ લોકો રમેશ તલાટીને ઓળખતા હતા. ત્યારે તે રામમંદીર બને તે માટે એક ભેખધારી, ભાજપના સામાન્ય કાર્યકર્તાની ‘અસામાન્ય બાધા’આજે બધાએ યાદ કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">