દેશના 122 વર્ષ જુના સૌથી મોટા શ્રીમંત પરિવારમાં આ કારણે પડી શકે છે બે ભાગ!

દેશના દિગ્ગજ કારોબારી ગોદરેજમાં ભાગ પડવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પરિવારની પાસે ઘણી ઈન્ડસ્ટ્રીમાં ભાગીદારી સિવાય હજારો કરોડ રૂપિયાની જમીનો છે. તેમને મુંબઈના ‘લેન્ડલોર્ડ’ કહેવામાં આવી શકે છે. મુંબઈમાં સૌથી વધારે જમીન ગોદરેજ પરિવારની પાસે જ છે. પરિવારે કારોબારમાં ભાગીદારીનું પુર્નગઠન માટે ઘણા સલાહકારો અને ટોપ લૉ ફર્મની સેવાઓ લીધી છે. મુંબઈના વિખરોલીમાં […]

દેશના 122 વર્ષ જુના સૌથી મોટા શ્રીમંત પરિવારમાં આ કારણે પડી શકે છે બે ભાગ!
Follow Us:
| Updated on: Jun 27, 2019 | 5:34 AM

દેશના દિગ્ગજ કારોબારી ગોદરેજમાં ભાગ પડવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પરિવારની પાસે ઘણી ઈન્ડસ્ટ્રીમાં ભાગીદારી સિવાય હજારો કરોડ રૂપિયાની જમીનો છે. તેમને મુંબઈના ‘લેન્ડલોર્ડ’ કહેવામાં આવી શકે છે. મુંબઈમાં સૌથી વધારે જમીન ગોદરેજ પરિવારની પાસે જ છે. પરિવારે કારોબારમાં ભાગીદારીનું પુર્નગઠન માટે ઘણા સલાહકારો અને ટોપ લૉ ફર્મની સેવાઓ લીધી છે.

મુંબઈના વિખરોલીમાં ગોદરેજ પરિવારની 1 હજાર એકરની એક જમીન છે, જેને ડેવલપ કરવામાં આવી શકે છે. તેની બજાર કિંમત લગભગ 20 હજાર કરોડ રૂપિયા છે. વિખરોલીમાં ગોદરેજ પરિવારની કુલ 3400 એકર જમીન છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ જમીનના ભાગ માટે ગોદરેજ એન્ડ બોયસના ચેરમેન જમશીદ ગોદરેજે જે.એમ ફાયનાન્શિયલથી જોડાયેલા દિગ્ગજ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર નિમેશ કમ્પાની અને એજેબી પાર્ટર્નસના વકીલ જિયા મોદીની સલાહ લઈ રહ્યા છે. તેમના પિતરાઈ ભાઈ અને ગોદરેજ સમૂહના ચેરમેન આદિ ગોદરેજ તથા ગોદરેજ એગ્રોવેટના ચેરમેન નાદિર ગોદરેજ બેન્કર ઉદય કોટક અને સિરિલ અમરચંદ મંગલદાસથી જોડાયેલ સિરિલ શ્રોફની સલાહ લઈ રહ્યા છે.

વિખરોલીની જમીન પર જો રિયલ એસ્ટેટ પ્રોપર્ટી વિકસીત કરવામાં આવે તો તેની કિંમત લગભગ 1 લાખ કરોડ રૂપિયા સુધી થઈ શકે છે. આ વિસ્તારમાં માત્ર જમીનની કિંમત પ્રતિ એકર 20 કરોડ રૂપિયાની આસપાસ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું છે વિવાદ

પરિવારમાં આ જમીનને લઈને મતભેદ છે કે જમીનનો વિકાસ કેવી રીતે કરવામાં આવે. જમશીદ ગોદરેજના પરિવાર ઈચ્છે છે કે જમીન પર વધારે રિયલ એસ્ટેટનો વિકાસ ન કરવામાં આવે પણ આદિ અને નાદિર ગોદરેજનો પરિવાર ઈચ્છે છે કે આ જમીન પર રિયલ એસ્ટેટનો ભરપૂર વિકાસ થાય. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે તેના વિશે બંને પરિવાર તેમનું નિવેદન આપશે.

ગોદરેજ ગ્રૃપ 122 વર્ષ જુનું છે. 1897માં પારસી વકીલ આર્દેશીર ગોદરેજે એક તાળાની કંપનીની સાથે ગોદરેજ કંપનીની શરૂઆત કરી હતી. ગોદરેજ ગ્રૃપમાં 5 કંપનીઓ છે. ગોદરેજ ઈન્સ્ડ્રીઝ, ગોદરેજ કન્ઝુયમર, ગોદરેજ એગ્રોવેટ, ગોદરેજ પ્રોપર્ટીઝ અને એસ્ટેક લાઈફસાયન્સેઝ. આ બધી જ કંપનીઓની બજાર કિંમત લગભગ 1.2 લાખ કરોડ રૂપિયા છે. ગોદરેજ ગ્રૃપના ચેરમેન આદિ ગોદરેજ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગોદરેજ પરિવારમાં ચેરમેન આદિ ગોદરેજ અને તેમના ભાઈ નાદિર સિવાય પિતરાઈ રિશદ, જમશીદ, સ્મિતા ગોદરેજ છે. આદિ ગોદરેજના ત્રણ બાળકો તાન્યા, નિસાબા અને પિરોજશા ગોદરેજ છે. નાદિરના પણ ત્રણ બાળકો છે. જમશીદના બે બાળકો રાઈકા અને નવરોજ. જ્યારે સ્મિતાના બે બાળકો ફ્રેયાન અને નિરિકા ગોદરેજ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">