ભારતમાં ચિત્તાઓની વધશે સંખ્યા, વધુ 12 ચિત્તાઓને દક્ષિણ આફ્રિકાથી ભારત લવાશે

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ વધુ 12 ચિત્તાના સ્થાનાંતરણને મંજૂરી આપી છે અને અંતિમ એમઓયુને એક સપ્તાહમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી અપેક્ષા છે.

ભારતમાં ચિત્તાઓની વધશે સંખ્યા, વધુ 12 ચિત્તાઓને દક્ષિણ આફ્રિકાથી ભારત લવાશે
cheetahs in India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2023 | 10:05 AM

વધુ ચિત્તા ભારતમાં આવવાના છે. 20 જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લાવવાની યોજના છે. આ ચિત્તાઓ ચિતા ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટ હેઠળ ભારતમાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં 8 ચિત્તાઓ મુક્ત કર્યાં હતા. ‘એક્શન પ્લાન ફોર રીઇન્ટ્રોડક્શન ઓફ ચિતા ઇન ઇન્ડિયા’ રિપોર્ટમાં દક્ષિણ આફ્રિકા, નામિબિયા અને અન્ય આફ્રિકન દેશોમાંથી 12 થી 14 ચિત્તાઓને ભારતમાં લાવવાની યોજના રજૂ કરવામાં આવી હતી.

વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ એક્શન પ્લાન જણાવે છે કે આ પુનઃપ્રવેશનો હેતુ ભારતમાં ચિત્તાની વસ્તી વધારવાનો છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ વધુ 12 ચિત્તાના સ્થાનાંતરણને મંજૂરી આપી દીધી છે. આગામી એક અઠવાડિયામાં અંતિમ એમઓયુને ફાઈનલ થવાની આશા છે.

13 જાન્યુઆરીએ અધિકારીઓ જશે આફ્રિકા

અહેવાલમાં એક સત્તાવાર સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય વન મહાનિદેશક ચંદ્ર પ્રકાશ ગોયલ, રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણના સચિવ એસપી યાદવ અને કેટલાક અન્ય અધિકારીઓ 13 જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકા માટે દિલ્હીથી રવાના થશે, જેઓ ચિતા સાથે પરત ફરશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સરકાર આ પ્રોજેક્ટ માટે કરે છે કરોડોનો ખર્ચ

અહેવાલો અનુસાર, સરકારે ચિતા રિટ્રાન્સલોકેશન પ્રોજેક્ટ માટે રૂ. 38.7 કરોડ ફાળવ્યા છે. જે પ્રોજેક્ટ માટે પાંચ વર્ષનું બજેટ છે. અગાઉ, સરકારે રૂ. 29.47 કરોડ ફાળવ્યા હતા. જેનો ઉપયોગ સંચાલન અને જાળવણી માટે થવાનો છે. ભારતમાં ચિત્તાનું પુનઃપ્રવેશ એ સરકારનો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. 1952 માં, ભારત સરકારે ચિત્તાને લુપ્ત જાહેર કર્યું હતું અને હવે 70 વર્ષ બાદ ચિત્તાએ ભારતમાં પુનરાગમન કર્યું છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">