મંદીની માર! પાર્લે કંપની 8થી 10 હજાર કર્મચારીઓને છૂટા કરવા મજબૂર
ભારતમાં બિસ્કીટની પ્રોડક્ટને લઈને પાર્લે કંપનીનું મોટું નામ છે. પાર્લેજી બિસ્કીટ ખાસ્સી એવી પ્રસિદ્ધી ધરાવે છે. આ કંપનીએ એક એવું નિવેદન આપ્યું છે જેના લીધે 8થી 10 હજાર લોકોની નોકરી ઉપર તલવાર લટકી રહી છે. Web Stories View more રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો […]
ભારતમાં બિસ્કીટની પ્રોડક્ટને લઈને પાર્લે કંપનીનું મોટું નામ છે. પાર્લેજી બિસ્કીટ ખાસ્સી એવી પ્રસિદ્ધી ધરાવે છે. આ કંપનીએ એક એવું નિવેદન આપ્યું છે જેના લીધે 8થી 10 હજાર લોકોની નોકરી ઉપર તલવાર લટકી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કંપનીએ કહ્યું કે 8થી 10 હજાર લોકોને છૂટા કરવા પડી શકે તેમ છે. કંપનીએ મંગળવારના રોજ કહ્યું કે જો વેચાણમાં આવી જ રીતે મંદી ચાલતી રહી તો કંપનીએ કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લેવો જ પડશે.
ખાનગી અખબાર ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ કંપનીના કેટેગરી હેડ મંયક શાહે કહ્યું કે અમે સરકારને અપીલ કરી હતી કે 100 રુપિયા પ્રતિ કિલોગ્રામ જે બિસ્કીટનું વેચાણ કરવામાં આવે છે તેના પર જીએસટી ઓછું લગાડવામાં આવે છે. જો સરકાર નહીં માને તો અમારી પાસે લોકોની છટણી કરવા સિવાય કોઈ રસ્તો જ નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પાર્લે કંપનીમાં એક અંદાજ મુજબ 1 લાખથી વધારે લોકો કામ કરે છે અને કંપનીના 10થી વધારે પ્લાન્ટ છે. આ પહેલીવાર નથી પણ પાર્લેની પહેલાં બ્રિટાનીયા કંપની પણ આવી જ ચિંતા વ્યક્ત કરી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધારે બિસ્કીટ પ્રોડક્ટનું વેચાણ થાય છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]