2022 સુધીમાં ગુજરાતના 18 લાખ ઘરમાં સરકાર આપશે આ સુવિધા, બેઠકમાં લેવાયો નિર્ણય
રાજ્યમાં લોકોને સરળતાથી અને સસ્તા ભાવે પરિવહન મળી રહે તે માટે ગેસ ઉપલબ્ધ થાય તે માટે સરકારે પગલું ભર્યું છે. ગુજરાતમાં મોટી સંખ્યામાં સીએનજી પેટ્રોલ પંપ શરુ કરવાની જાહેરાત સરકાર દ્વારા કરાઈ છે. વધુમાં 18 લાખ પરિવારોને રસોઈ માટે ગેસ લાઈન ઉપલબ્ધ થાય તે માટે પણ સરકારે 2022 સુધીનું લક્ષ્ય રાખ્યું છે. Web Stories View […]
રાજ્યમાં લોકોને સરળતાથી અને સસ્તા ભાવે પરિવહન મળી રહે તે માટે ગેસ ઉપલબ્ધ થાય તે માટે સરકારે પગલું ભર્યું છે. ગુજરાતમાં મોટી સંખ્યામાં સીએનજી પેટ્રોલ પંપ શરુ કરવાની જાહેરાત સરકાર દ્વારા કરાઈ છે. વધુમાં 18 લાખ પરિવારોને રસોઈ માટે ગેસ લાઈન ઉપલબ્ધ થાય તે માટે પણ સરકારે 2022 સુધીનું લક્ષ્ય રાખ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સીએનજી વાહનોને ફિલીંગ સ્ટેશન પર સતત લાઈનમાં ઉભું રહેવું પડે છે અને તેના લીધે સમયનો વ્યય થાય છે. તેમાંથી મુક્તિ મળવાની આશા જાગી છે કારણ કે સરકાર 300થી વધારે સીએનજી પંપ ખોલવામાં આવશે. ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતિ ગેસ દ્વારા આ યોજના શરુ કરવામાં આવશે અને ગુજરાતમાં તમામ નાની મોટી જગ્યાએ લોકોને સીએનજી ગેસ મળી રહે તેવું આયોજન કરવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ફ્રેન્ચાઈઝી આપીને આ પંપ ખોલવામાં આવશે અને તેને નામ પણ આપવામાં આવ્યું છે. ‘CNG સહભાગી યોજના’ દ્વારા આ પીએસયુ અને ઓએમસી ડિલર એમ બે પ્રકારના સીએનજી સ્ટેશનો ખોલવામાં આવશે. પીએસયુમાં પાઈપલાઈન દ્વારા ગેસ પુરો પાડવામાં આવશે તો ઓમસસીમાં પાઈપલાઈન વિના જ ગેસનું વેચાણ કરવામાં આવશે.
આ પણ વાંચો: સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ, હજુ પણ ભારે વરસાદની આગાહી યથાવત
રાજ્યમાં સીએનજી સ્ટેશનોની વાત કરીએ તો છેલ્લાં 23 વર્ષમાં 542 સીએનજી ફ્યુલ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે અને ફરીથી આગામી બે વર્ષમાં સરકાર 300 નવા સ્ટેશનના લક્ષ્યાંક સાથે ગુજરાતને નવી દિશા આપશે.