29 વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં કેટલાં આતંકવાદીઓને કર્યા ઠાર? જાણો સરકારનો જવાબ
કેન્દ્ર સરકારે કાશ્મીરમાં થયેલી કાર્યવાહી અંગે સંસદમાં વિગતો રજૂ કરી છે. જેમાં છેલ્લાં 29 વર્ષમાં કેટલાં આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા તેના આંકડાઓ પણ છે. સરકારે જણાવ્યું કે 22 હજારથી વધારે આતંકવાદીઓને 29 વર્ષમાં ઠાર મારવામાં આવ્યા છે. 2005થી લઈને 2019 સુધી 1011 આતંકવાદીઓ માર્યા ગયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]
કેન્દ્ર સરકારે કાશ્મીરમાં થયેલી કાર્યવાહી અંગે સંસદમાં વિગતો રજૂ કરી છે. જેમાં છેલ્લાં 29 વર્ષમાં કેટલાં આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા તેના આંકડાઓ પણ છે. સરકારે જણાવ્યું કે 22 હજારથી વધારે આતંકવાદીઓને 29 વર્ષમાં ઠાર મારવામાં આવ્યા છે. 2005થી લઈને 2019 સુધી 1011 આતંકવાદીઓ માર્યા ગયા છે.
આ પણ વાંચો : જાણો ફાંસીની સજા વિશેના રસપ્રદ તથ્યો! જુઓ VIDEO
આ જ સમયગાળામાં 42 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 2253 આતંકવાદીઓ સેનાની કાર્યવાહીના લીધે બોર્ડરથી ભાગી ગયા હતા. સરકારે જવાબમાં એવું પણ જણાવ્યું કે 59 આતંકવાદીઓ ઓગસ્ટ, 2019 બાદ સરહદના રસ્તેથી ઘુસ્યા હોવાની આશંકા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ સિવાય સરકારે જવાબ રજૂ કરતાં કહ્યું કે આતંકી હુમલાઓનો મુકાબલો કરવા માટે સીમા પર પર્યાપત ચોકીઓ બનાવવામાં આવી છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સેનાને વધારે સક્ષમ બનાવવામાં આવી રહી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]