શું કોઈપણ બેંક લોનની ભરપાઈ માટે ઘરે બાઉંસરોને મોકલી શકે?

લોનની વસૂલી માટે બેંકો બાઉંસરોને ઘરે મોકલી શકે કે નહીં તેને લઈને આરબીઆઈ દ્વારા ખૂલાસો કરાયો છે. બેંકો લોનની ઉઘરાણી માટે બાઉંસર અને રિકવર એજન્ટ મોકલી શકે નહીં. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર […]

શું કોઈપણ બેંક લોનની ભરપાઈ માટે ઘરે બાઉંસરોને મોકલી શકે?
Follow Us:
| Updated on: Jul 01, 2019 | 11:57 AM

લોનની વસૂલી માટે બેંકો બાઉંસરોને ઘરે મોકલી શકે કે નહીં તેને લઈને આરબીઆઈ દ્વારા ખૂલાસો કરાયો છે. બેંકો લોનની ઉઘરાણી માટે બાઉંસર અને રિકવર એજન્ટ મોકલી શકે નહીં.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દિશા-નિર્દશો બહાર પાડ્યા છે. જેમાં કહેવાયું છે કે કોઈપણ બેંક લોનની વસૂલી માટે ઘરે બાઉંસરોને મોકલી શકે નહીં. લોકસભામાં વિત્ત રાજ્યમંત્રી દ્વારા પણ આ વાતનો ઉલ્લેખ કરાયો છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે કોઈપણ બેંક પોતાના ગ્રાહકો પાસે લોનની વસૂલી માટે જબરદસ્તી કરાવી શકે નહીં. આ માટે બાઉંસરો મોકલવાનો પણ અધિકાર નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અનુરાગ ઠાકુરે પોતાની વાતમાં સ્પષ્ટ કર્યું કે પોલીસ વેરિફિકેશન અને બીજી બધી ફોર્મલીટી પુરી કર્યા બાદ જ બેંક બાકી રકમને રિકવર કરવા માટે એજન્ટસ મોકલી શકે છે. પ્રશ્નકાળ સમયે તેમણે જવાબ આપ્યો કે કોઈપણ બેંક જબરદસ્તી કરીને ઉઘરાણી કરવા માટે બાઉંસરની નિયુક્તિ કરી શકે નહીં. તેમને આવો કોઈપણ જ અધિકાર નથી.

આ પણ વાંચો: વિશ્વ કપમાં ભારતને ફરી મોટો ઝટકો શિખર ધવન બાદ આ ખેલાડી થયો ટૂર્નામેન્ટમાંથી બહાર

અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું કે ગાઈડલાઈન્સ ઓન ફેઅર પ્રેક્ટીસીસ કોડ ફોર લેન્ડર્સ જે બહાર પાડવામાં આવ્યા છે તેને અપનાવવાની બેંકને જરુરત છે. તેમના બોર્ડ દ્વારા પણ આ કોડને બે વાર માન્યતા આપવામાં આવી છે.  વધુમાં કોઈપણ બેંક દ્વારા જો બાઉંસર ઉઘરાણી માટે મોકલવામાં આવે તો તેને લઈને આરબીઆઈમાં ફરીયાદ કરી શકાય છે. આરબીઆઈ આવી ફરીયાદોને પણ ગંભીરતાથી લેશે અને બેંકની સામે કાર્યવાહી કરશે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">